SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ - - - - વિ. સં. ૨૦૩૪માં અમદાવાદમાં પંન્યાસ પદ અને વિ. સં. ૨૦૩૮માં ખંભાતમાં આચાર્યપદ તેમણે પ્રાપ્ત કર્યું હતું. પ. પૂ. શ્રી મિત્રાનંદસૂરિજી મહારાજશ્રીના પોતાના હસ્તે પચાસ જેટલી દીક્ષા થઈ હતી. એ બતાવે છે કે એમના સંયમ જીવનનો પ્રભાવ કેટલો બધો હતો. એમના શિષ્યો, પ્રશિષ્યોનું જૂથ ચાલીસ જેટલું હતું. એમની નિશ્રામાં અંજનશલાકા, પ્રતિષ્ઠા ઇત્યાદિ પ્રકારના ઘણા મહોત્સવ યોજાયા હતા. શરીરની એમની અપંગ અવસ્થા તેર વર્ષ સુધી, જીવનના અંત સુધી ચાલી. આવી નાજુક શારીરિક સ્થિતિ હોવા છતાં તેઓ પોતાની દૈનિક આવશ્યક ક્રિયાઓ કરવામાં તેમજ સ્વાધ્યાય કરવા અને કરાવવામાં અપ્રમત્ત રહેતા. તેઓ હંમેશાં સ્વસ્થ અને પ્રસન્ન રહેતા. પોતાની આવી અત્યંત નબળી શારીરિક સ્થિતિને લીધે મહારાજશ્રીને આખો દિવસ સૂઈ રહેવું પડતું. તેમ છતાં શાસનનાં મહત્ત્વનાં કાર્યો હોય ત્યારે તેઓ સતત ચારપાંચ કલાક બેસી શકતા હતા. તે વખતે એમનામાં એવો ઉત્સાહ આવી જતો. તેઓ અપ્રમત્તયોગી હતા. મહારાજશ્રીની પવિત્રતાનો એવો પ્રભાવ હતો કે કેટલાયે લોકોને એવી દઢ શ્રદ્ધા થઈ ગઈ હતી કે એમના આશીર્વાદથી પોતાનું ધર્મકામ, તપશ્ચર્યાદિ બહુ સારી રીતે પાર પડી જાય છે. એટલે જ મહારાજશ્રી પાસે માંગલિક સાંભળવા કે પચ્ચકખાણ સાંભળવા બહારગામથી પણ ભક્તો આવતા. મહારાજશ્રીની સૌમ્ય, વત્સલ પ્રકૃતિ સૌને સ્પર્શી જાય તેવી હતી. ખોટી વાત ખોટી છે એવું કહેવામાં પણ એમની સૌમ્યતા દેખાઈ આવતી. ધર્મના વિષયમાં પણ આવેગપૂર્વક કે આવેશયુક્ત તેઓ ક્યારેય વચન ઉચ્ચારતા નહિ. તેમ છતાં તેઓ પોતાનો અભિપ્રાય સ્પષ્ટતાથી આપતા. “ધર્મદૂત'માં આવતી પ્રશ્નોત્તરસુધા' વાંચવાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy