SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ णाइमत्त पाण भोयण भोइ से निग्गंथे । ભગવાન મહાવીર [જે અતિશય ભોજન-પાણી કરતો નથી તે નિગ્રંથ (સાધુ) છે.] ભગવાન મહાવીર સ્વામીએ ‘આચારાંગસૂત્ર’, ‘ઉત્તરાધ્યયન સૂત્ર’, ‘દસવૈકાલિક સૂત્ર' વગેરેમાં ઠેર ઠેર નિગ્રંથ મુનિ-જૈન સાધુનાં વિવિધ પ્રકારનાં જે લક્ષણો દર્શાવ્યાં છે એમાં એમનાં ભાતપાણી-આહારની પણ વિગતે વિચારણા કરવામાં આવી છે. સમગ્ર સંસારમાં સર્વ જીવોને આહારસંશા અનાદિ કાળથી વળગેલી છે. જીવો પોતાની આ સંજ્ઞાને રસથી પોષે છે અને વિકસાવે છે. જગતમાં નવ્વાણુ ટકાથી વધુ મનુષ્યો પોતાની આ આહારસંજ્ઞાથી રાજી થાય છે. ભોજન માટે ઉત્સવ યોજાય છે. પાકશાસ્ત્ર એ પણ શિક્ષણનો વિષય છે અને સરસ રસોઈ, વાનગીઓ બનાવનારનું બહુમાન થાય છે. દુનિયામાં જેમ જેમ હોટેલ-રેસ્ટોરાંની સંખ્યા વધતી જાય છે તેમ તેમ સારા રસોઇયાની માંગ વધતી જાય છે. દુનિયામાં વિભિન્ન દેશો વચ્ચે વ્યવહાર–વિનિમય જેમ જેમ વધતાં જાય છે તેમ તેમ કેટલી બધી વાનગીઓનો આંતરરાષ્ટ્રીય પ્રચાર વધતો જાય છે ! એક બાજુ આખી દુનિયા ખોરાક-ભોજનની બાબતમાં નિપુણ બનતી જાય છે ત્યારે બીજી બાજુ દુનિયામાં અડધા ટકા કરતાં પણ ઓછા લોકો આહા૨સંજ્ઞાને તોડવાનો પ્રચંડ પુરુષાર્થ કરતા હોય છે. અનશન, ઉણોદરી, રસત્યાગ વગેરે પ્રકારની તપશ્ચર્યા કરીને આહા૨સંજ્ઞાને તેઓ નિષ્ફળ બનાવે છે. તાવવાળા માંદા માણસને ભોજન અરુચિકર લાગે છે. કોઇ તીવ્ર આઘાત લાગે એવા સમાચાર આવતાં માણસને ખાવાનું ભાવતું નથી. આગ, ધરતીકંપ, બોમ્બમારો જેવી આપત્તિ વખતે માણસ જીવ બચાવવા ખાવાનું For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy