SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ णाइमत्त पाण भोयण भोइ से निग्गंथे। ૧૩૯ છોડીને ભાગે છે. આ સર્વનો આહારત્યાગ અલ્પકાલીન હોય છે, પરંતુ સાધુ મહાત્માઓ અને તપસ્વી ગૃહસ્થો સ્વેચ્છાએ, સંયમપૂર્વક, કોઇપણ પ્રકારના આઘાત-પ્રત્યાઘાત વિના, હોંશથી, ઉલ્લાસપૂર્વક, ઉચ્ચત્તર ધ્યેયને માટે નિશ્ચિત સમય માટે આહારનો અથવા આહારના રસનો ત્યાગ કરે છે. ગમે તેટલો સ્વાદિષ્ટ આહાર નજર સામે હોય તો પણ તેઓને તે વિકારના ભાજન જેવો, અરુચિકર લાગે છે. જેઓનું લક્ષ્ય ત્યાગવૈરાગ્ય, આત્મજ્ઞાન અને પરંપરાએ કેવળજ્ઞાન, મુક્તિનું છે તેઓ સ્વાદિષ્ટ આહારથી લુબ્ધ થતા નથી. ઉણોદરી વ્રત એ સાધુ ભગવંતોનું લગભગ કાયમનું વ્રત હોવું જોઇએ. સારા આરોગ્યની એક સાદી ચાવી છેઃ “પેટ ન ભરીએ ચારે ખૂણ.' પેટ ભરીને જમવાથી જેટલી રોગોની શક્યતા છે તેટલી ઉણોદરી વ્રતથી નથી. પેટ દબાવીને વધારે પડતું ખાવાથી જેટલા રોગો થાય છે અને જેટલા માણસો મૃત્યુ પામે છે એટલા રોગો કે મૃત્યુ થોડુંક ઓછું ખાવાથી નથી થતાં. આરોગ્યની વાત તો ખરી જ, પણ સંયમની આરાધના માટે, ધર્મક્રિયાઓ માટે ઉણોદરી વ્રત આવશ્યક મનાયું છે. ઉણોદરી વ્રત ઉપરાંત વૃત્તિસંક્ષેપ વ્રત પણ લેવાય છે, જેમાં નિશ્ચિત કરેલી સંખ્યામાં અમુક જ વાનગીઓ લેવાની હોય છે. રસલાલસા ન થાય એ માટે આવાં આવાં વ્રતો છે. જૈન સાધુઓએ (“સાધુ” શબ્દમાં સાધ્વી આવી જાય છે.) સામાન્ય રીતે દિવસમાં એક વખત જ આહારપાણી લેવા જોઇએ. દિગંબર મહાત્માઓ એક જ વખત ઊભા ઊભા આહારદાન સ્વીકારે છે. તેઓ ઠામચોવિહાર કરતા હોય છે. જે યુવાન મુનિઓ સ્વાધ્યાય વગેરે કરતા હોય, જેમનું સ્વાથ્ય બરાબર ન રહેતું હોય અથવા એક વખતના આહારથી ચાલતું ન હોય તેઓ બે વખત આહાર લે છે. સામાન્ય રીતે સાધુઓએ સવારના નવકારશીના સમયનાં ચાપાણી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy