SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વ. પ્રો. તનસુખભાઈ ભટ્ટ ૧૩૭ બાપુ ! દિવ્યા તમ પગલીએ દેશની કૂચ માંડી ! બાપુ ! ન્યારી તમ છબિ અહો દાસ્યમાં દીપદાંડી ! કાવ્યલહરીનાં કાવ્યોમાં સ્વ. તનસુખભાઇની એક તત્ત્વચિંતક તરીકેની પ્રતિભા ઊપસી આવે છે. ઉ.ત. “ઝંખના' કાવ્યમાં ગિરનાર પર ચઢતાં જે સંવેદના થઈ તે વ્યક્ત કરતાં તેઓ લખે છેઃ વાદળ પડદા વિશાળ; પળમાં લોપાતી રે દેરડી, મળતી લેશ ન ભાળ એવા રે મારગ અમે સંચર્યા. XXX શાશ્વત સુખમાં તેઓ કહે છેઃ આત્મા મહીં કિન્તુ નિહાળતો નિધિ, જ્યાં શાશ્વતી જ્ઞાનપ્રમોદસંસ્થિતિ, જાણી જીવી જીવનમાર્ગ દાખવી, સંતો મહા એ પદમાં ગયા મળી. જગતથી ન્યારા અને જગતની કોઈ વસ્તુની સ્પૃહા ન રાખનારા તનસુખભાઈ “મનીષા' કાવ્યમાં કહે છેઃ નવ અંતર યાચના હજો, નવ રીઝો ઉર ભોગિદર્શને, જગ નિઃસ્પૃહ ને જલે છલી ઝરણી અંતરની વહો વહો. એક કવિ તરીકે તનસુખભાઇએ સારી સિદ્ધિ મેળવી હતી. છંદોબદ્ધ કાવ્યો અને ગેય રચનાઓ બંનેમાં તેમની શક્તિ સુપેરે આવિષ્કાર પામી હતી. મધ્યવયમાં આસપાસનાં સંજોગોએ જો એમની કવિપ્રતિભા કુંઠિત ન કરી નાખી હોત તો કવિ તરીકે એમણે મોટું નામ કાર્યો હોત. ગાંધીજીના હાથ હેઠળ સંસ્કારસિંચન પામેલી તેજસ્વી વ્યક્તિનો જીવનવિકાસ બાહ્ય દૃષ્ટિએ કેવો વિપરીત અને વિષમ બની ગયો ! અલબત્ત પોતાની અંતર્મુખતાએ તો એમને ધન્ય જ બનાવ્યા હતા. મારા વિદ્યાગુરુ સ્વ. તનસુખભાઈ ભટ્ટને શ્રદ્ધાંજલિ અર્પી છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy