SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ સ્થળોનાં વર્ણનો છે. ગાંધીજી આફ્રિકાથી ભારત પાછા આવ્યા એ ઘટનાના નિરૂપણથી કવિ આ “દાંડીયાત્રા' કાવ્યનો આરંભ કરે છે. રાષ્ટ્રોત્કર્ષે નિજ વપુ ઘસી દૂર અંધારખંડે; રંકો કેરા સ્વજન બનીને, એકદા કો મહાત્મા. ગોરાંગોનો ગરવ હરીને દિવ્ય શસ્ત્ર અમોઘ, આર્યાવર્ત નિજ જનમની ભોમકામાં પધાર્યા. દાંડીયાત્રા દરમિયાન એક સ્થળે નદીના પટમાં ઘૂંટણ સુધીના કાદવમાં ચાલવાનું આવ્યું અને બધાંએ બાપુને ઊંચકીને આગળ ચાલવાનું સૂચન કર્યું તે પ્રસંગનું વર્ણન કરતાં કવિ લખે છેઃ ત્યારે બાપુ ખડખડ હસ્યા, “વાત શી બાળ જેવી, પાયે મારા બળ બહુ હજુ' એમ બોલી વધે છે. ને વૃદ્ધાંગો પ્રબળ વિહરે કર્દમે જાનમગ્ન, અન્યત્રાસે નિજ સુખ લહે કેમ કો દી મહાત્મા ? ધારાસણાના સમુદ્રકિનારે બાપુએ વાંકા વળી ચપટી મીઠું લીધું એ પ્રસંગ વર્ણવતાં કવિ કેવી સરસ કલ્પના કરે છે ! કીધું હૈયે પ્રભુસ્મરણ ને મેદની હર્ષઘોષે, બાપુ ઝૂક્યા લવણકણના શર્કરાખંડ વીણ્યાં; વીયા પુંજો ક્ષિતિતલ થકી શ્રેષ્ઠ સામ્રાજ્ય લૂંટ્યું. કિંવા લૂંટું વિતતસમયે લભ્ય સ્વાતંત્ર્ય મોંઘું. આ પ્રસંગે બધાંએ જે શૌર્ય દાખવ્યું હતું તે વર્ણવતાં કવિ લખે છેઃ ને એ કૂચો લવણ ઢગલે ક્ષેત્ર ધારાસણાને, ફંગોળાયાં સુભટનડાં ને હિણાયાં, પિટાયાં ખેલાયું જ્યાં પ્રતિદિન ખરું યુદ્ધ રે રોમહર્ષ, વીરશ્રીનો પ્રથમ પરચો દાખવ્યો ગુર્જરોએ. આ ઐતિહાસિક ઘટનાને અંતે કવિ બાપુને અંજલિ અર્પતાં કહે છેઃ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy