SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ આવ્યા. થોડા દિવસ તબિયત સુધરતી લાગી. હું હોસ્પિટલમાં એમની ખબર જોવા, વંદન કરવા જતો. ત્યારે તેઓ બોલી શકતા નહિ પણ ઓળખી શકતા અને સમજી શકતા. એમની સ્મૃતિ સારી હતી. પણ પછી સ્વાથ્યમાં વળાંક આવ્યો. તા. ૨૬મી માર્ચ ૧૯૮૨ના રોજ સવારે ૧૦-૫૫ કલાકે એમણે દેહ છોડી દીધો. એમના મૃતદેહને એબ્યુલન્સમાં ચીંચણી લાવવામાં આવ્યો. ત્યાં આશ્રમમાં થોડા કલાક દર્શનાર્થે રાખવામાં આવ્યો અને પછી સમુદ્ર તટે અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા. એમની પાલખી મીરાંબહેન, કાશીબહેન વગેરે ચાર કુંવારી (પણ હવે વયોવૃદ્ધ) બહેનોએ ઉપાડી હતી અને અગ્નિસંસ્કાર એમના જીવનભરના અંતેવાસી શ્રી મણિભાઈએ કર્યા હતા. આ જગ્યા મહારાષ્ટ્ર સરકારે આશ્રમને ભેટ આપી છે અને ત્યાં મહારાજશ્રીની સમાધિ આરસમાં રચવામાં આવી છે. એમના ઉપર પોતાના ગુરુદેવનો તેમજ મહારાજશ્રીનો એમ બે પ્રિય મંત્ર ૐ હ્રીં અરિહંત નમઃ | અને ૐ મૈયા શરણમ્ મમ કોતરવામાં આવ્યા છે. મહારાજશ્રીનો જન્મ તા. ૨૬-૮-૧૯૦૪માં એટલે કે વિ. સં.૧૯૬૦ના શ્રાવણની પૂર્ણિમાએ થયો હતો. શ્રાવણી પૂર્ણિમા એટલે બળેવનો દિવસ, પર્વનો મોટો દિવસ. આ દિવસે બહેન ભાઈને રાખડી બાંધે. આ દિવસે દરિયાખેડુઓ શ્રીફળ વધેરી દૂર દૂર સુધી દરિયો ખેડવા જાય, કારણ કે હવે દરિયામાં વાવાઝોડાનો ભય નહિવત્ હોય. મહારાજશ્રી કાળધર્મ પામ્યા તા. ૨૬-૩-૧૯૮૨ વિ. સં.ના ચૈત્ર સુદ એકમના રોજ. ચૈત્ર સુદ એકમ એટલે ગુડી પડવો. કેટલાક લોકોનું એ બેસતું વર્ષ. શક સંવત ગુડી પડવાથી ચાલુ થાય. આમ મહારાજશ્રીના જન્મ અને કાળધર્મના એમ બને દિવસો મોટા પર્વના દિવસો રહ્યા છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy