SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૫.પૂ. સ્વ. શ્રી સંતબાલજી મહારાજ ૧ ૧૫ રોકવા, વહીવટીતંત્ર ઊભું કરવું, તે માટે વર્ગો અને મકાનો બાંધવા-આ બધી લાખો કરોડો રૂપિયાની વાત છે. આંતરરાષ્ટ્રીય કક્ષાની નહિ, રાષ્ટ્રીય કક્ષાની શિક્ષણ સંસ્થા પણ ઊભી કરવા માટે ઘણું બધું કાર્ય કરવું પડે. જો એને સરકારી માન્યતા ન મળે તો એવું શિક્ષણ લેવા માટે ખાસ કોઈ આવશે નહિ. વળી આપે ગુરુભક્તિથી પ્રેરાઇને પૂ. નાનચંદ્રજી મહારાજનું નામ રાખ્યું છે, પરંતુ જૈનોના ચારે ફિરકામાં એ સર્વોચ્ચ નથી, તો આંતરરાષ્ટ્રીય સ્તરે તો કેવી રીતે હોય ? હરિભદ્રસૂરિ, કુંદકુંદાચાર્ય કે હેમચંદ્રાચાર્યનું નામ વધુ શોભે. તદુપરાંત જવાહરલાલ નહેરુનું નામ આઝાદી પહેલાં જેવું માનભર્યું હતું તેવું આજે રહ્યું નથી. આજકાલ છાપાંઓમાં જવાહરલાલજી વિશે કેટલી બધી ટીકાઓ આવે છે. રાજેન્દ્રપ્રસાદ, વિનોબાજી, રવિશંકર મહારાજ કે એવી કોઈ મોટી વ્યક્તિનું નામ રાખો તો કેમ ? મહારાજશ્રીએ મારી નિખાલસ વાત સાંભળી એટલી જ નિખાલસતાથી કહ્યું કે આ આશ્રમ (કેન્દ્રોની સ્થાપના કરી ત્યારે ઉત્કટ ભાવનાથી આ બધું આયોજન મેં વિચાર્યું હતું, પણ જેમ જેમ સમય વીતતો જાય છે તેમ તેમ એની વાસ્તવિકતાનો મને વધુ ખ્યાલ આવતો જાય છે. હું હવે એ માટે ઉદાસીન છું. મેં એક બીજ વાવ્યું. હવે એ અંકુરિત થવાનું હશે તો થશે !” ૧૯૭૯માં મહારાજશ્રીએ વિનોબાજીના ગોવધબંધીના ઉપવાસ અટકાવવા માટે પોતે એકવીસ દિવસના ઉપવાસ કર્યા. પરંતુ ત્યાર પછી એમનું વજન ઘટ્યું અને તબિયત પણ અસ્વસ્થ રહેવા લાગી. વળી ૧૯૮૨ના ફેબ્રુઆરીમાં ફરીથી એમણે ત્રણ દિવસના ઉપવાસ કર્યા. આથી તેમના શરીરમાં ઘણી અશક્તિ આવી ગઈ. થોડા દિવસ પછી બીજી માર્ચ એમના પર લકવાનો હુમલો થયો. તેમને એબ્યુલન્સમાં મુંબઇમાં હરકીશનદાસ હૉસ્પિટલમાં લઈ આવવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy