SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ પ.પૂ. સ્વ. શ્રી સંતબાલજી મહારાજ કલેક્ટરની આડો આવીને ઊભો રહ્યો અને કહ્યું, ‘પહેલાં મને મારો, પછી પક્ષીઓને’ એટલે તે કલેક્ટરે બંદૂક મૂકી દીધી. પણ કલેક્ટરના સાથીદારોએ આઘાપાછા જઈ શિકાર માટે ગોળીઓ છોડી. એના ધડ ધડ અવાજો સંભળાતા હતા. પણ સૌના આશ્ચર્ય વચ્ચે એક પણ પક્ષી પડ્યું નહિ. એટલે ઝંખવાણા થઈ કલેક્ટર પોતાના સાથીઓ સાથે પાછા વળ્યા. ૧૦૭ પ્રજામાં જ્યારે અન્યાય થાય, સમજાવવા છતાં દુરાચાર અટકે નહિ ત્યારે મહારાજશ્રી વિશુદ્ધિકરણ માટે ગાંધીજીની જેમ પોતાના અંતરાત્માને અનુસરી ઉપવાસનું શસ્ત્ર અજમાવતા. એક વખત મહારાજશ્રીનો મુકામ એક ગામમાં હતો ત્યારે એક દિવસ સાયલાના લાલજી મહારાજના પંથના કેટલાક સાધુઓ અન્નક્ષેત્રના સદાવ્રત માટે ઘોડા ઉપર ત્યાં આવ્યા હતા. તેઓએ પોતાના ઘોડા ખુલ્લી જગ્યામાં બાંધ્યા હતા. રાતને વખતે એક ચોર એક સારા ઘોડાને ઉપાડી ગયો. બીજે દિવસે સવારે ખબર પડી કે એક ઘોડાની ચોરી થઈ છે. ગામમાં તપાસ કરી પણ ક્યાંયથી ઘોડો મળ્યો નહિ. એ સાધુઓએ મહારાજશ્રીને વાત કરી. સાંજે મહારાજશ્રીએ પ્રાર્થનાસભામાં જાહેર કર્યું કે જ્યાં સુધી ઘોડો મળશે નહિ ત્યાં સુધી પોતે ઉપવાસ કરશે. આથી ગામના લોકોમાં દોડાદોડ થઈ ગઈ. ઘોડો નહિ મળે તો પોતાના ગામની આબરૂ જશે. રાતને વખતે મહારાજશ્રી ઉતારાના મકાનની ખુલ્લી ઓસરીમાં સૂઈ ગયા હતા. અડધી રાતે એક માણસ મહારાજશ્રી પાસે આવ્યો. પોતે ઘોડાની ચોરી કરી તે કબૂલ કરીને મહારાજશ્રી પાસે વ્રત લીધું કે હવેથી પોતે ઢોરચોરી નહિ કરે. સાધુઓને પોતાને ઘોડો મળતાં હર્ષ થયો અને સંતબાલજી મહારાજશ્રીના ઊંચા ચારિત્રથી અને આવી સેવાથી તેઓ પ્રભાવિત થયા હતા. ચોરી કરનારે ચોરી કબૂલ કરી હોય અને ચોરી ન કરવા માટે For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy