SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ મહારાજશ્રી પાસે પ્રતિજ્ઞા લીધી હોય એવા તો કેટલાયે પ્રસંગો નોંધાયા છે. મીરાંબહેને એક પ્રસંગ નોંધ્યો છે. એક વખત મહારાજશ્રી કલકત્તામાં હતા ત્યારે સવારે કોઈ એક ભાઈને સાથે લઈને ગોચરી વહોરવા નીકળ્યા. ગોચરી વહોરીને તેઓ ઉતારે પાછા ફરતા હતા ત્યાં તો તેમને થાક લાગવા માંડ્યો. ઉતારે જેમતેમ પહોંચ્યા અને ગોચરીની ઝોળી મૂકીને તેઓ પાટ પર સૂઈ ગયા. તેઓ જાણે બેભાન જેવા થઈ ગયા. તરત મીરાંબહેન ડોક્ટરને બોલાવી આવ્યાં. ડોક્ટરે તપાસીને કહ્યું, “હમણાં અહીં આવો રોગચાળો ચાલે છે. ઈંજેક્શન લેશે એટલે એક-બે દિવસમાં સારું થઈ જશે. ગભરાવાની જરૂર નથી.” જાગૃતિ આવતાં મહારાજશ્રીએ મીરાબહેનને કહ્યું, “હું જે ગોચરી લાવ્યો છું તે બહાર સરખી જગ્યા જોઇને, ખાડો કરીને એમાં પરઠવી દો.” મીરાંબહેને કહ્યું, “ખાવાનું છે, તો જમીનમાં દાટી દેવા કરતાં ગાય કે કૂતરાને ખવડાવીએ તો શું ખોટું ?' મહારાજશ્રીએ કહ્યું, “જૈન સાધુનો એ આચાર નથી. મળેલ ભિક્ષાત્રનું દાન કરવાનો અમને અધિકાર નથી. કોઈ એમ કરે તો એમાંથી આગળ જતાં ઘણા અનર્થ થાય. ગૃહસ્થો ગોચરી વહોરાવતા બંધ થાય.” એ ગોચરી ભૂમિમાં ભંડારી દેવામાં આવી. ત્રણેક દિવસ પછી મહારાજશ્રી સ્વસ્થ થયા. આહાર લેતા થયા. શરીરમાં શક્તિ આવી. ત્યાર પછી તરત મહારાજશ્રીએ પોતાને ગોચરી ભંડારી દેવી પડી એ નિમિત્તે પ્રાયશ્ચિત્ત તરીકે ત્રણ દિવસના ઉપવાસ કર્યા હતા. સંત પરમ હિતકારી’માં શ્રી મનુભાઈ પંડિતે ઘણા પ્રસંગો નોંધ્યા છે. એક વખત પૂ. મહારાજથી સૂરત જિલ્લામાં વિહાર કરી રહ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy