SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ લાલચે શિકારીઓને મદદ કરતા. મહારાજશ્રીએ ગામડે ગામડે ફરીને લોકોને સમજાવ્યા કે પક્ષીઓનો શિકાર ન થવો જોઇએ. કોઇએ શિકારીઓને મદદ ન કરવી અને શિકારીઓને સમજાવીને અટકાવવા જોઇએ. મહારાજશ્રીએ આ વિષયમાં જાગૃતિ લાવીને લોકોને બહુ દઢ મનોબળવાળા બનાવ્યા હતા. વળી એ કોમનું સદાચાર અંગે બંધારણ પણ ઘડી આપ્યું હતું. આનું પરિણામ કેટલું સારું આવ્યું તે મહારાજશ્રીએ પોતે જ વર્ણવેલા એક પ્રસંગ પરથી જણાશે. એક વખત અમદાવાદના એક વયોવૃદ્ધ પારસી ગૃહસ્થ પોતાની મોટરકારમાં આ બાજુ પક્ષીઓનો શિકાર કરવા આવ્યા. પરંતુ કેટલાક જુવાનિયાઓએ એમની મોટર અટકાવી. એટલે પારસી બુઢાએ હાથમાં બંદૂક લઈ તેઓને ગોળીએ વીંધવાનો ડર બતાવ્યો. પણ યુવાનો ડર્યા નહિ અને આઘા ગયા નહિ. ત્યાં તો ગામલોકોને ખબર પડી અને ઘણા માણસો ભેગા થઈ ગયા. તેઓ બધાએ જુવાનિયાઓનો પક્ષ લીધો. પારસી બુઢા વિચારમાં પડી ગયા કે આ તો આખું ગામ બદલાઈ ગયું છે. જે લોકો શિકારમાં સાથ આપવા પડાપડી કરતા હતા તેઓ હવે શિકારનો વિરોધ કરી રહ્યા છે. લોકો સાથેની વાતચીતમાં તેમને મહારાજશ્રીએ આ બધી સદાચારની પ્રવૃત્તિ કર્યાનું જાણ્યું ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા, તેમનું હૃદય પીગળ્યું. પોતે શિકાર ન કરવાનો સંકલ્પ કર્યો અને પોતાની પાસે જે કંઈ રકમ હતી તે ગામના લોકોને આપી દીધી અને એનો ઉપયોગ ઢોરોનો પાણી પીવાનો હવાડો બાંધવા માટે ખરચવાનું કહ્યું. એક વખત અમદાવાદના ગોરા અંગ્રેજ કલેક્ટર પોતાના સાથીદારો સાથે પક્ષીનો શિકાર કરવા આવ્યા. ગામના લોકોને ખબર પડી. મહારાજશ્રી પણ ત્યાં જ હતા. મહારાજશ્રીએ એ કલેક્ટરને બહુ સમજાવ્યા પણ તે માન્યા નહિ. એવામાં એક ગ્રામજન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy