SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ ત્યાર પછી તેઓ ગુરુદેવને મળવા ઇચ્છતા હતા. તે વખતે શ્રી નાનચંદ્રજી મહારાજ નર્મદા કિનારાના પ્રદેશ, ચાણોદ બાજુ વિચરી રહ્યા હતા. મહારાજશ્રી વાઘજીપુરાના ચાતુર્માસ પછી ગુરુદેવને મળવા ગુજરાત બાજુ આવ્યા અને મળ્યા. મહારાજશ્રીએ ગુરુદેવને પ્રશ્ન કર્યો કે મારે હવે શું કરવું ?' ૯૮ . ગુરુદેવે કહ્યું, ‘જો મારી સાથે રહેવું હોય તો ખુશીથી રહે, તો જાહે૨ નિવેદન પાછું ખેંચી લેવું પડશે. મૈયાની સ્ફુરણાને ગૌણ અને સમાજ તથા ગુરુની આજ્ઞાને મુખ્ય ગણવી જોઇએ.’ બંને વચ્ચે લાંબી વાટાઘાટ ચાલી. મહારાજશ્રી તરત નિર્ણય ન લઈ શક્યા. મનોમંથન કરતા તેઓ વિહાર કરી વડોદરા પધાર્યા. મહારાજશ્રીને હવે સ્પષ્ટ સમજાઈ ગયું કે ગુરુદેવ પોતાની પાસે રાખશે નહિ અને સ્થાનકવાસી સમાજ સ્થાનકમાં ઉતારો આપશે નહિ. એટલે હવે વિહાર વગેરે અંગે પોતાનો સ્વતંત્ર માર્ગ લેવો પડશે. મહારાજશ્રી પોતાના ગુરુદેવથી છૂટા પડ્યા હતા. આ ઘટનાથી ગુરુદેવને પણ ઘણું સહન કરવું પડ્યું. હવે મહારાજશ્રીએ પોતાની કેડી પોતે જ કંડારવાની હતી. મહારાજશ્રીમાં ધ્યેયનિષ્ઠા, શાસ્ત્રાભ્યાસ, વકતૃત્વશક્તિ, વિચારશક્તિ, લેખનશક્તિ, કવિત્વશક્તિ, બાહ્યાચારની શુદ્ધિ ઈત્યાદિ ગુણલક્ષણો ન હોત તો અલ્પ સમયમાં જ તેઓ ઉપેક્ષિત થઈ ગયા હોત. કેટલાયે એકલવિહારી સામાન્ય સાધુઓને એવી દશા ભોગવવી પડે છે. પરંતુ યુવાન મહારાજશ્રીનો ખાદીધારી ઊંચો દેહ, વેધક નયનો, પ્રતિભાવંત મુખમુદ્રા વગેરેને કારણે જૈન-જૈનેતર યુવાવર્ગ એમના તરફ ખેંચાવા લાગ્યો. આઝાદી પૂર્વેના એ દિવસોમાં માહોલ જ એ પ્રકારનો હતો. એટલે સંપ્રદાય બહાર મહારાજશ્રીની બહુ કદર થવા લાગી. અલબત્ત એક જૈન સાધુ તરીકે મહારાજશ્રીએ પોતાનું સ્વાશ્રયી For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy