SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૫.૫. વ. શ્રી સંતબાલજી મહારાજ ૯૯ જીવન છોડ્યું નહોતું. તેઓ પાદવિહાર કરતા, જાતે ગોચરી વહોરી લાવતા અને ગોચરી વાપર્યા પછીથી જાતે જ પાત્રો સાફ કરી નાખતા. તેઓ પોતાનાં વસ્ત્રો પોતે જ ધોતા. સાધુ તરીકેની બીજી કેટલીક આવશ્યક ક્રિયાઓ કરતા. એમના વિચારો સાંપ્રદાયિક પરંપરાથી ભિન્ન હતા, પરંતુ તેમનામાં ચારિત્રની શિથિલતા નહોતી. સ્ત્રી, ધન, માલમિલકત ઈત્યાદિથી તેઓ પર હતા. મહારાજશ્રીએ ઘણાં વર્ષ સુધી મસ્તકે ખાદીનું શ્વેત વસ્ત્ર બાંધતા. એ વસ્ત્ર બાંધવાની એમની રીત અનોખી હતી. તેઓ ચોરસ ટુકડાની ત્રિકોણ ટોપી જેવી રચના કરતા અને માથે પાછળ બે છેડા ખોંસી દેતા. આ ટોપીથી શિયાળામાં અને ઉનાળામાં મસ્તકને રક્ષણ મળતું. સીવ્યા વગરની આ ટોપીને કારણે જ મહારાજશ્રીનો દેખાવ અનોખો લાગતો. તેઓ બધાથી જુદા પડી આવતા. સંપ્રદાયમાં પોતે હતા એ વર્ષો દરમિયાન એમનો મોટો ચાહકવર્ગ ઊભો થયો હતો. વળી ધર્મનિષ્ઠ સમાજરચના અને લોકકલ્યાણની પ્રવૃત્તિઓને કારણે તેઓ રવિશંકર મહારાજ, જુગતરામ દવે, કાકા કાલેલકર, નાનાભાઈ ભટ્ટ, ઉછરંગરાય ઢેબર વગેરે કેટલાયે મહાનુભાવોના અંગત ગાઢ પરિચયમાં આવ્યા હતા. મહારાજશ્રીએ વાઘજીપુરાના ચાતુર્માસ વખતે જોયું કે એ વિસ્તાર ઘણો પછાત છે. આજીવિકાનાં સાધનો નહિ જેવાં છે. લોકો વ્યસની છે. દુરાચાર પ્રવર્તે છે. એટલે એમણે પોતાની સમાજકલ્યાણની પ્રવૃત્તિ માટે આ વિસ્તાર પસંદ કર્યો. વિરમગામથી આગળ સાણંદ, ધોળકા, ધંધુકા વગેરે ગામોમાં તેઓ વિચર્યા અને લોકોની પરિસ્થિતિનો વાસ્તવિક ખ્યાલ મેળવ્યો. આ બાજુનો અમુક વિસ્તાર ચુંવાળ તરીકે, અમુક ભાલ તરીકે, અમુક નળકાંઠા તરીકે ઓળખાય છે. નળકાંઠામાં તળાવો છે, પરંતુ ભાલમાં પાણીનો ત્રાસ હતો એટલે એ પ્રદેશ “નપાણિયો' કહેવાતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy