SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩ ચાર વર્ષની ઉમરે તેઓ અનાથ થઈ ગયા હતા. તેમના એક મોટા ભાઈ અને મોટી બહેન એમ ત્રણ જણ રહ્યાં હતાં. બધાં નાની ઉંમરનાં હતાં. માતાપિતાના અવસાન પછી એમના એક સંબંધી તેઓને કેકિંદ (ઘોડાવડ) લઈ આવ્યા, કારણ કે વડીલોની જમીનદારી ત્યાં હતી. આ રીતે સગાંઓનાં આશ્રયે તેઓ સાત વર્ષની ઉમર સુધી કેનિંદમાં રહ્યા. એ દિવસોમાં બાળક કહેયાલાલ તેજસ્વી અને ચબરાક જણાતાં કુસુમશ્રીજી નામનાં એક મહાસતીજીએ એ વિશે શ્રી પૂનમચંદજી ખાબિયા નામના શ્રાવકને ભલામણ કરી કે બાળકને શ્રી પ્રતાપચંદજી મહારાજ પાસે લઈ જવામાં આવે. એ પ્રમાણે વિ. સં. ૧૯૭૮માં શ્રી પૂનમચંદજી ખાબિયા કયાલાલને છોટી પાદુ નામના ગામે લઈ ગયા. ત્યાં સ્થાનકવાસી આચાર્ય સ્વામીદાસની પરંપરાના શ્રી ફતેહચંદજી મહારાજ તથા મુનિ શ્રી પ્રતાપચંદજી મહારાજ એ બે ગુરુબંધુઓ બિરાજમાન હતા. તેઓ તેમને મળવા ગયા. જેન મુનિ મહારાજને જોવાનો કહેયાલાલનો આ પહેલો જ પ્રસંગ હતો. પ્રતાપચંદજી મહારાજને આઠ વર્ષના આ બાળક માટે પૂર્વના કોઈ ઋણાનુબંધથી વિશેષ લાગણી થઈ. બાળકને પોતાની પાસે રાખવા અને અધ્યયન કરાવવાની દરખાસ્ત મૂકી. અનાથ બાળકના અધ્યયન અને નિર્વાહની જવાબદારીનો પ્રશ્ન જો આમ ઉકલી જતો હોય તો તે વાત શ્રી પૂનમચંદજીને તથા અન્ય સગાંઓને સંમત હતી. બાળકને પણ મુનિ મહારાજ સાથે રહેવાનું, વિહાર કરવાનું અને અધ્યયન કરવાનું ગમી ગયું. કયાલાલે પહથાંવલા નામના ગામમાં શિક્ષણ મેળવવાનું શરૂ કર્યું. શરૂઆતમાં તેમને બારાખડી શીખવવામાં આવી. ત્યાર પછી તેમને માટે એક પંડિતજી રાખવામાં આવ્યા. બિહારીલાલ જોશી નામના એ પંડિતજીએ વ્યાકરણ શીખવવાનું શરૂ કર્યું. વ્યાકરણનો અભ્યાસ ચાલતો હતો ત્યાં પંડિતજીનું અચાનક અવસાન થયું અને અભ્યાસ અધૂરો રહ્યો. ત્યાર પછી ગુરુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002057
Book TitleSamprat Sahchintan Part 13
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2001
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy