SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ દાક્તર, તમે સાજા થાવ! દાક્તરનો આદર્શ બતાવતાં કહેવાયું છે કે : गुरोरधीताखिलवैद्यविद्य: पीयूषपाणि: कुशलक्रियासु । गतस्पृहो धैर्य-धर: कृपालु शुद्धोऽधिकारी भिषगाशः स्यात् ॥ [જેઓએ પોતાના ગુરુ પાસે સમગ્ર વૈદકશાસ્ત્રનું અધ્યયન કર્યું છે, જેમના હાથમાં પીયૂષ (અમૃત) છે, જેઓ ક્રિયાકુશળ છે, સ્પૃહા (ધનની લાલસા)થી રહિત છે, ધૈર્યવાન છે, કૃપાળુ છે તથા શુદ્ધ છે એવા વૈઘ આ વ્યવસાયના અધિકારી મનાય છે.] વેદ, દાક્તરને ‘પીયૂષપાણ' તરીકે અહીં ઓળખાવ્યા છે. આ ઘણો ઊંચો આદર્શ છે. પીયૂષ અર્થાત્ અમૃત જેમના હાથમાં છે એટલે કે મરતા માાસને જીવાડવાની જેમનામાં શક્તિ અને ભાવના છે તે શ્રેષ્ઠ દાક્તર કહેવાય. તે જ સાચા ‘પીયૂષપાણિ' દાક્તર છે. વૈદ, હકીમ, દાક્તર વિશે અહીં તો માત્ર થોડીક વાતનો નિર્દેશ છે. ભિન્ન ભિન્ન દૃષ્ટિકોણથી હજુ ઘણા મુદ્દાઓની છણાવટ થઈ શકે. દાક્તરોના બચાવમાં અને દાક્તરોની વિરુદ્ધમાં ઘણાને ઘણું કહેવાનું હોઈ શકે. દાક્તરોને દર્દીઓના કડવા અનુભવો થતા હોય છે અને દર્દીઓને દાક્તરના કડવા અનુભવો થાય છે. બીજી બાજુ બંનેને સારા અનુભવો પણ થાય છે. આમ વ્યક્તિગત અનુભવ ઉભય પક્ષે સારામાઠા હોવાના. Jain Education International ૬૫ દાક્તરોની અનિવાર્યતા સંસારમાં હંમેશાં રહેવાની અને રોગીઓને દાક્તરની ગરજ પણ રહેવાની. તેમ છતાં આ વ્યવસાયમાં જે શુભ તત્ત્વ છે તે કેમ જળવાઈ રહે અને શુભતર બનતું રહે એ જ આ લખવા પાછળનો આશય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002057
Book TitleSamprat Sahchintan Part 13
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2001
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy