SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ સાંપ્રત સહચિંતન - ભાગ ૧૩ એકસામટું ગટગટાવવાને બદલે એક એક ઘૂંટડો મોઢામાં થોડી વાર રાખી ધીમે ધીમે ગળામાં નીચે ઉતારતા રહેવાથી અમ્લપિત્ત વગેરે રોગોમાં લાભકારક બને છે. આપણે ત્યાં યોગવિદ્યા અને આયુર્વેદમાં એવા પ્રયોગો નોંધાયેલા છે કે જો કોઈ માણસ બ્રાહ્મમુહૂર્તમાં (સવારે સાડાચારની આસપાસ) ગાયનું તરત કાઢેલું ધારોણ દૂધ ટટ્ટાર ઊભા રહીને નાક વાટે થોડા દિવસ નિયમિત પીએ તો એની આંખોનું તેજ એટલું વધી જાય કે અંધારામાં પણ તે જોઈ શકે. એવી જ રીતે કોઈ માણસ દૂઝણી ગાયની બળી (ખીરું) રોજ ખાય (ત મળવી જોઈએ) તો થોડા વખતમાં એની આંખો ગીધ પક્ષીની આંખો જેવી તીક્ષા થાય છે. ગાયના દૂધનાં માખણ અને મલાઈનો ઉપયોગ યોગવિદ્યામાં બીજી એક વિશિષ્ટ રીતે પણ થાય છે. જે સાધકો ખેચરી મુદ્રા ધારણ કરે છે તેઓ પોતાની જીભ તાળવે સ્થિર રાખી ઉત્તરોત્તર ગળાના પાછળના ભાગમાં લઈ જાય છે. ત્યાં જીભ ચોંટેલી રાખવા માટે જીભના અગ્રભાગ પર મલાઈ અથવા માખણ ચોપડે છે. એ પછી જીભને કપાલ-કૂહરમાં દાખલ કરી ત્યાં બ્રહ્મરંધ્ર પાસે અડાડી રાખી ધ્યાન ધરે છે ત્યારે ત્યાંથી ઝરતા સુધારસનું-ચંદ્રામૃતનું પાન કરી શકે છે. આવી સાધના કરનારનું આરોગ્ય ઘણું સારું રહે છે એટલું જ નહિ તેઓ દેહ અને આત્માની ભિન્નતાનો સાક્ષાત્કાર કરી શકે છે. જ્યાં ગામડાં છે ત્યાં ગાયભેંસના ઉછેરને અવકાશ છે. ત્યાં ડેરીના દૂધની આવશ્યકતા નથી. પરંતુ શહેરો જેમ જેમ વધતાં ગયાં અને મોટાં થતાં ગયાં તેમ તેમ ત્યાં પાળેલાં પશુઓની સંખ્યા ઓછી થઈ ગઈ અને છેવટે ડેરીના દૂધની અનિવાર્યતા આવવા લાગી. વીસમી સદીમાં ડેરીના વિજ્ઞાને ઘણી પ્રગતિ કરી. દૂધને જંતુરહિત બનાવી તેની જાળવણી કરવા માટે લઈ પાશ્વરે વૈજ્ઞાનિક પદ્ધતિ આપી. ડેરી વિજ્ઞાન ઘણા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002057
Book TitleSamprat Sahchintan Part 13
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2001
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy