SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ દુધામૃત ૪૧ ગાયના દૂધ માટે આયુર્વેદમાં કહેવાયું છે : સદ્ય: શુકકર શીત, સામ્ય સર્વ શરીરિણામ, જીવન બૃહણ બલ્ય, મેધ્ય વાજિકર પરમ્ વય સ્થાપનું આયુષ્યમ્, સંધિકારિ રસાયનમ્. ગાયનું તાજું દૂધ તરત જ શુક્રધાતુને ઉત્પન્ન કરે છે. તે શીતળ છે. બધાં પ્રાણીને અનુકૂળ છે. તે જીવન આપનારું, શરીરની વૃદ્ધિ કરનારું, બળ અને બુદ્ધિ વધારનારું તથા વાજિકર એટલે જાતીય શક્તિ વધારનાર, તે વયને સ્થિર કરનાર (યોવનને ટકાવનાર), આયુષ્ય વધારનાર, સંધિશરીરના સાંધાઓને મજબૂત કરનાર છે અને રસાયન છે એટલે કે શરીરમાં રહેલી સાતેય ધાતુઓને પુષ્ટ કરનાર તથા પ્રતિકારશક્તિ વધારનાર છે. દૂધ કેટલું બધું ઉપયોગી છે અને ચમત્કારિક ગુણો ધરાવે છે એ વિશે એક પાશ્ચાત્ય લેખકે Magic of Milk નામનું પુસ્તક લખ્યું છે. સર્વ દૂધમાં ગાયના દૂધને શ્રેષ્ઠ ગણાવામાં આવેલ છે, કારણ કે ગાય બુદ્ધિમાન, સમજદાર, માયાળુ અને માતાતુલ્ય પ્રાણી છે. ભોજનમાં જો દૂધ કે દૂધની વાનગી હોય તો માણસને આહારની રુચિ થાય છે અને થોડો વધુ આહાર લઈ શકે છે. જૂના વખતમાં કહેવાતું કે માણસ શાકે સવાયું, દૂધ દોટું અને મિષ્ટ બમણું ખાય છે. નાનાં બાળકો અથવા જેમનું વજન સરેરાશ કરતાં ઓછું હોય એવા લોકો પોતાના સવાર-સાંજના આહારમાં જો દૂધને સ્થાન આપે તો તેમનું શરીર સારું થાય છે અને વજન વધે છે. ફિજના ઠંડા કે ચૂલા પરથી ઉતારેલા ગરમ ગરમ દૂધ કરતાં ઊભરો આવ્યા પછી થોડીવારે સાધારણ ગરમ એટલે હુંફાળું થયેલું દૂધ વધુ ગુણકારી મનાયું છે. સ્તનપાન કરાવતી માતાનું દૂધ સાધારણ ઉણા હોય છે. દોહરાવતી ગાય-ભેંસના દૂધની ધારા ઉણા અથવા હુંફાળી હોય છે. આવું હુંફાળું દૂધ બહુ ગુણાકારક મનાય છે. આવું હુંફાળું દૂધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002057
Book TitleSamprat Sahchintan Part 13
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2001
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy