SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩ માંસાહારી લોકોએ દૂધ લેવાને બદલે લોહી-માંસ જ લેવાં જોઈએ એવો તર્ક કરાય છે. હકીકતમાં દૂધનો આહાર માંસાહારી લોકો માટે પણ આવશ્યક મનાયો છે. ३८ માનવજીવનનો સૌથી પહેલો આહાર તે દૂધ છે અને તે પણ માતાનું દૂધ. કેટલાક મહિના સુધી નવજાત શિશુ કેવળ માતાના દૂધ પર નિર્ભર રહે છે. એ મોટું થતું જાય છે એ બતાવે છે કે બાળકના શરીરના પોષણ સંવર્ધન માટેનાં તમામ તત્ત્વો માતાના દૂધમાં છે. એમાં વિટામિન, પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ, કાર્બોહાઈડ્રેટ વગેરે ઘણાં બધાં તત્ત્વો છે એટલું જ નહિ તે ભાવે એવું મધુર, હલકું, સુપાચ્ય અને પોષક છે. વળી એમાં રોગપ્રતિકારક શક્તિ પણ હોય છે. માંદગી, મૃત્યુ કે અન્ય કોઈ કારણે બાળકને માતાનું દૂધ ન મળી શકે એમ હોય તો આપણે ત્યાં આયુર્વેદાચાર્યોએ ધાવમાતા-ધાત્રીની ભલામણ કરી છે. એટલે એ દિવસોમાં અન્ય કોઈ સ્ત્રીને ધાવણ આવતું હોય તેવી સ્ત્રીને બાળકને ધવરાવવા માટે રાખવામાં આવતી કારણ કે માતાનું દૂધ નવજાત શિશુ માટે અનિવાર્ય છે. માતાનું દૂધ એવું ચમત્કારિક છે કે એમ કહેવાય છે કે તે હાથથી કાઢી એક વાટકીમાં રાખવામાં આવે અને એમાં એક જીવતી કીડીને નાખવામાં આવે તો કીડી તેમાં ડૂબીને મરી નહિ જાય, પણ તરતી તરતી બહાર નીકળી જશે. કુદરતની કેવી વ્યવસ્થા છે કે બાળક જન્મે કે તરત માતાના સ્તનમાં દૂધ આવે, માતાને પણ પોતાના બાળકને ધવરાવવાના ભાવ થાય અને જેણે હજુ આંખ પણ ખોલી ન હોય એવા બાળકને તત્ક્ષણ ધાવતાં આવડી જાય. જન્મેલા બાળકને તરત ધાવતાં જોઈએ તો એમ પ્રશ્ન થાય કે બાળકને આ શિખવાડ્યું કોો હશે ? પૂર્વજન્મના સંસ્કાર વિના આમ બની શકે નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002057
Book TitleSamprat Sahchintan Part 13
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2001
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy