SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ દુધામૃત દૂધ (દુગ્ધ) અમૃત છે, પણ અધૂરી સમજણા અને પોતાની માન્યતાના અભિનિવેશનને કારણે કેટલાક એને લોહી અને માંસ તરીકે ઓળખાવે છે ત્યારે વિવાદનો વંટોળ ઊભો થાય છે. ભારતીય સાંસ્કૃતિક પરંપરાનાં હજારો વર્ષમાં આવો વિવાદ ક્યારેય થયો નથી, પરંતુ પાશ્ચાત્ય સંસ્કૃતિના સંપર્ક પછી કોઈ કોઈ વાર આવો વિવાદ સર્જાયા કરે છે. જેઓ આવો વિવાદ ઊભો કરે છે તેઓએ પૂર્વગ્રહરહિત થઈને, પોતાની માન્યતાને થોડી વાર બાજુ પર મૂકીને, સત્યાન્વેષણાની દૃષ્ટિથી, શાન્તચિત્તે, તટસ્થતાપૂર્વક વિચાર કરવો જરૂરી છે. જૂના વખતમાં ધર્મપરિવર્તન કરાવવાની સાથે લોકોને માંસાહારી બનાવવાના પ્રયાસો પણ થતા. ધર્મપ્રચારકો શાકાહારી લોકોને કહેતા કે દૂધ પ્રાણીના શરીરમાંથી નીકળતું હોવાથી તે માંસ બરાબર જ છે. એટલે તમે જો દૂધ ખાતા હો તો માંસ ખાવામાં તમને વાંધો ન હોવો જોઈએ. ગરીબ ભોળા લોકો આવી દલીલથી ભરમાતા અને તેઓ માંસાહારી બની જતા. અલબત્ત, હવે એવા પ્રકારના ધર્મપરિવર્તનનું અને આહારાદિના પરિવર્તનનું પ્રચારાત્મક કાર્ય ઘટ્યું છે. તો પણ એવા મિથ્યા પ્રચારથી સાવધ રહેવા જેવું છે. પાશ્ચાત્ય દેશોમાં જેઓ ચુસ્ત શાકાહારી અથવા વનસ્પત્યાહારી છે એવા કેટલાક લોકો દૂધ કે દૂધમાંથી બનેલાં દહીં, માખણ, પનીર વગેરે (All Dairy Products) લેતા નથી. તેઓ વેગન (Vegan) તરીકે ઓળખાય છે. તેઓ વેજિટેરિયન શબ્દનો ચુસ્ત અર્થ કરે છે. એટલે કે ફક્ત વનસ્પતિનો જ આહાર કરવામાં માને છે. તેઓ પ્રાણીનું માંસ કે પ્રાણીના શરીરમાંથી નીકળતો પદાર્થ (Animal Product) ખાતા નથી. પરંતુ કેટલાક અંતિમવાદી વનસ્પત્યાહારીઓ દૂધને વગોવવા માટે એને માંસાહાર તરીકે ઓળખાવે છે, કારણ કે તે પ્રાણીના શરીરમાંથી પેદા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002057
Book TitleSamprat Sahchintan Part 13
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2001
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy