SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩ .. ઈરિયાવહી' શબ્દ સંસ્કૃત પથિી. અથવા “ઐયંપથિકી પરથી આવેલો છે. સંસ્કૃતમાં ડું શબ્દનો અર્થ ગતિ, ચાલવું, ફરવું, ગમનાગમન કરવું ઈત્યાદિ થાય છે. સાધુ-સંન્યાસીઓની અવરજવર માટે એ શબ્દ સવિશેષ પ્રયોજાયો છે. પથ એટલે માર્ગ, રસ્તો. ઈર્યાપથ એટલે અવરજવર માટેનો માર્ગ અથવા માર્ગમાં આવાગમન. ઈર્યાપથિકી અથવા ઈરિયાવહી એટલે માર્ગમાં આવાગમન કરવા સંબંધી. શબ્દનો અર્થવિસ્તાર થતાં ઈરિયાવહી શબ્દ માર્ગમાં ગમનાગમ કર્યા પછી તે અંગે લાગેલાં પાપમાંથી વિશુદ્ધ થવા માટે કરાતી વિશિષ્ટ ધર્મક્રિયા માટે વપરાવા લાગ્યો. જેનોનો એ પારિભાષિક શબ્દ બની ગયો. ઈરિયાવહીની ક્રિયા શ્રાવકે તો કરવાની, પણ સાધુ-સાધ્વીઓ માટે તો તે અનિવાર્ય બની ગઈ, કારણ કે ગૃહસ્થોનું ગમનાગમન નિષ્ઠયોજન પણ હોઈ શકે, પરંતુ સાધુઓનું ગમનાગમન તો પ્રયોજન જ હોવું જોઈએ. સાધુઓએ અહિંસાનું મહાવ્રત ધારણ કરેલું છે. ઈરિયાવહી સૂત્ર ગણાધર ભગવંતે રચેલું સૂત્ર છે. “આવશ્યકસૂત્ર'ના “પ્રતિકમણા-અધ્યયન' નામના ચોથા અધ્યયનમાં તે આવે છે. આ સૂત્ર પ્રાકૃત ભાષામાં છે. તે નીચે પ્રમાણે છે : ઈચ્છાકારેણ સંદિસહ” ભગવન્! ઈરિયાવહિયં પડિક્કમામિ ? ઈચ્છે ! ઈચ્છામિ પડિક્કમિઉં, ઈરિયાવહિયાએ વિરાહણાએ, ગમનાગમો પાક્કમ, બીયક્રમો, હરિયક્રમો ઓસા-ઉસિંગ-પણાગ-દગમટ્ટી-મક્કડા-સંતાપા-સંકમણો ! જે મે જીવા વિરાહિયા .. એગિદિયા, બે ઈંદિયા, તેઈંદિયા, ચઉરિંદિયા, પંચિંદિયા | અભિયા, વરિયા, લેસિયા, સંઘાઇયા, સંઘટ્ટિયા, પરિયાવિયા, કિલામિયા, ઉદ્દવિયા, ઠાણાઓ ઠાણાં સંકામિયા, જીવિયાઓ વવરોવિયા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002057
Book TitleSamprat Sahchintan Part 13
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2001
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy