SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વ. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા ૧૩૯ સામયિક ભેટ આવે તો પણ હું એનું લવાજમ ભરતો. હવે એ વખત ગયો છે.” હીરાલાલભાઇનાં છ સંતાનમાંથી એક પુત્ર અને એક પુત્રી, નાની ઉંમરમાં અવસાન પામ્યાં હતાં. બાકીનાં ચાર સંતાનોમાં બિપિનચંદ્રનો જન્મ સૂરતમાં ૧૯૨૦માં, મનોરમાબહેનનો જન્મ ૧૯૨૪માં મુંબઈમાં, વિબોધચંદ્રનો જન્મ ૧૯૨૭માં મુંબઇમાં અને નવિનચંદ્રનો જન્મ ૧૯૨૯માં મુંબઇમાં થયો હતો. (આ ચાર સંતાનોમાંથી, મનોરમાબહેન કેટલાક વખત પહેલાં અવસાન પામ્યાં છે. બિપિનચંદ્ર, વિબોધચંદ્ર અને નલિનચંદ્ર હાલ વિદ્યમાન છે અને નિવૃત્તિમય જીવન ગાળે છે.). - હીરાલાલભાઇના જ્યેષ્ઠ પુત્ર, ડૉ. બિપિનચંદ્ર મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. અને એમ.એ. થયા પછી, “ઋગ્વદમાં સોમરસ” એ વિષય પર શોધપ્રબંધ લખીને પીએચ.ડી.ની ડિગ્રી મેળવી હતી. ત્યારપછી એમણે વલ્લભવિદ્યાનગરની કૉલેજમાં અને સરદાર પટેલ યુનિવર્સિટીમાં સંસ્કૃત અને અર્ધમાગધી વિભાગના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી. જર્મન ભાષાના પણ જાણકાર ડૉ. બિપિનચંદ્ર જૈન ધર્મના વિવિધ વિષયો પર લેખો લખ્યા છે, જે “જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન'ના નામથી ગ્રંથસ્થા થયેલા છે. હીરાલાલભાઇના સુપુત્રી મનોરમાબહેને એમ.એ. અને બી.ટી. સુધીનો અભ્યાસ કર્યા પછી, સૂરત તથા મુંબઇમાં શિક્ષિકા તરીકે કામ કર્યું હતું. તેઓ અપરિણીત રહ્યાં હતાં. એમણે આગમોદ્ધારક શ્રી આનંદસાગરસૂરિ (સાગરજી મહારાજ)નું જીવનચરિત્ર લખ્યું હતું તથા કેટલાંક ગ્રંથાવલોકન લખ્યાં હતાં. - હીરાલાલભાઇના બીજા પુત્ર ડૉ. વિબોધચંદ્રની શૈક્ષણિક કારકિર્દી પણ તેજસ્વી હતી. મેટ્રિકની પરીક્ષામાં, સૂરત કેન્દ્રમાં ગુજરાતી વિષયમાં પ્રથમ આવી તેમણે પારિતોષિક મેળવ્યું હતું. એમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002057
Book TitleSamprat Sahchintan Part 13
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2001
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy