SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ પંન્યાસ શ્રી વરસંગવિજયજી ૭૯. મુનિ તરીકે વરસંગનું નવું નામ અપાયું, પણ લોકો એને વરસંગમુનિ અથવા વરસંગ ઋષિ તરીકે જ ઓળખવા લાગ્યા. ત્યારે મુનિ માટે ઋષિ શબ્દ પણ પ્રચલિત હતો.) સાધુ તરીકે અપાયેલું નવું નામ લોકોમાં ભૂલાઈ ગયું. તે ક્યાંય નોંધાયેલું પણ રહ્યું નહિ. વરસંગ મુનિને તો શ્રી હીરસૂરિના શિષ્ય બનવાનો પોતાને અપૂર્વ લાભ મળ્યો તેનો અત્યંત હર્ષ થતો. પોતાના સાધ્વાચારનું તેઓ કડક પાલન કરવા લાગ્યા. યુવાન વયે દીક્ષા લેવી અઘરી છે, પણ દીક્ષા લીધા પછી તેને દીપાવવી એ તો એથી પણ ઘણી અઘરી વાત છે. વરસંગ મુનિએ ઉગ્ર તપશ્ચર્યા અને સતત સ્વાધ્યાયમાં પોતાના ચિત્તને પરોવી દીધું. થોડા વર્ષોમાં ગુરુ મહારાજે એમની યોગ્યતા અને સતા જોઈ એમને પંચાસની પદવી પણ આપી. વરસંગ મુનિ હવે પંન્યાસ વરસંગવિજયજી બન્યા. હવે પન્યાસ વરસંગવિજયજીને વ્યાખ્યાન આપવાની અને જુદો વિહાર કરવાની પણ ગુજ્ઞા મળી ગઈ. આવા યુવાન તેજસ્વી સાધુને જોવા સાંભળવા અનેક લોકો વ્યાખ્યાનમાં આવતા. કેટલાયે એમના સાધુજીવનથી આકર્ષાતા. યુવાનોમાં તે બહુ પ્રિય બની ગયા હતા. વરસંગવિજયજીનાં વાણી અને વ્યક્તિત્વથી પ્રેરાઇને કેટલાક દીક્ષા લેવા તૈયાર થતા. જેમને દીક્ષા લેવી હોય તેની પૂરી કસોટી તેઓ કરતા અને પછી શ્રી હીરસૂરિ પાસે મોકલતા. છેવટે શ્રી હીરસૂરિ સંમતિ આપે તો હીરસૂરિના હસ્તે જ તેઓ દીક્ષા અપાવતા. આમ પંન્યાસ વરસંગવિજયજીએ એક પછી એક એમ ૧૦૮ જણને શ્રી હીરસૂરિ પાસે દીક્ષા અપાવી હતી. દીક્ષા પછી શ્રી હીરસૂરિ નવદીક્ષિતને પંન્યાસ વરસંગવિજયજીના શિષ્ય તરીકે જાહેર કરતા. આ રીતે પંન્યાસ વરસંગવિજયજી ૧૦૮ શિષ્યોના ગુરુ ભગવંત બન્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002056
Book TitleSamprat Sahchintan Part 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy