SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ સાંપ્રત સહચિંતન ભાગ ૧૨ અમારા મકાનના નવીનચંદ્રભાઇ થોડા દિવસમાં સારા થઇ ગયા. તેઓ જાતના ભોઈ અને ભરૂચના વતની હતા. પંદર પડોશીઓમાં તેઓ સૌથી વધુ અભિમાની અને તકરારી હતા. બધાં કરતાં પૈસે ટકે વધુ સુખી હતા એટલે કોઇની સાથે ભળતા નહિ, પરંતુ ધડાકાના આ બનાવ પછી એમના જીવનમાં પરિવર્તન આવી ગયું હતું. તેઓ મકાનમાં બધા પડોશીઓ સાથે ભળવા લાગ્યા હતા. બધાંને તેઓ કહેતા, ‘ચીમનભાઈએ મને મદદ ન કરી હોત તો હું જીવતો ન હોત.' ૬૬ માણસના જીવનમાં ક્યારે પરિવર્તન આવે છે અને ક્યારે કોની ગરજ પડે છે એ કહી શકાય નહિ. ભયંકર ધડાકા અને ઘણી મોટી આગનો આ પ્રસંગ જાતે જોનારને પણ હવે બહુ યાદ આવતો નથી. નવી પેઢીને તો એની કશી જ ખબર કે કલ્પના નથી. પરંતુ મુંબઈના બંબાવાળા હજુ એ ભૂલ્યા નથી. આગ ઓલવવામાં જેઓ તાલીમબદ્ધ અને નિપુણ હોય એવા બંબાવાળાઓ પોતે આગ ઓલવવાના પોતાના કર્તવ્યનું પાલન કરતાં કરતાં હોનારતમાં હોમાઇ ગયા. એક સાથે ૬૬ જેટલાં બંબાવાળાઓએ ક્ષણવારમાં પ્રાણ ગુમાવ્યા હોય અને કેટલાયનાં શબ મળ્યાં ન હોય એવી ઘટના બંબાવાળાઓના ઇતિહાસમાં અદ્વિતીય છે. એથી જ મુંબઇના બંબાવાળાઓ આજ દિવસ સુધી પ્રતિવર્ષ ૧૪મી એપ્રિલે પોતાના આ કર્તવ્યનિષ્ઠ પુરોગામીઓને માટે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજીને તેમને માટે નતમસ્તકે પ્રાર્થના કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002056
Book TitleSamprat Sahchintan Part 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy