SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨ સરકારી તંત્રનું કામ હવે આગ ઓલવવા કરતાં આગ વધતી અટકાવવાનું થઇ ગયું. જે મકાન ભડકે બળતું હોય તેના પછી ત્રીજું ચોથું મકાન જો પાડી નાંખવામાં આવે તો જ આગ આગળ વધે નહિ, કેટલાક મકાનો સુરંગોથી તોડવામાં આવ્યાં. બંદરનો આખો વિસ્તાર પોલીસે કબજે કરી લીધો. ત્યાં માણસોની અવરજવર બંધ થઇ ગઇ. પરામાંથી અને બહારગામથી બોલાવેલા બંબાવાળાની કામગીરી વધી ગઇ. ૬૪ દાણાબંદરની આ આગ બે-ત્રણ દિવસમાં તો ચારે બાજુ ઘણી બધી પ્રસરી ગઇ. જાનમાલનું પારાવાર નુકસાન થયું. એક અંદાજ પ્રમાણે આસરે પાંત્રીસ કરોડ રૂપિયાનું નુકશાન થયું હતું. એટલું મોટું નુકશાન મુંબઇ શહેરે પોતાના આજ દિવસ સુધીના ઇતિહાસમાં ક્યારેય જોયું નથી. આ ભયંકર આગમાં છ હજાર કરતાં વધારે દુકાનો બળી ગઇ. જે મકાનો બળી ગયાં, અથવા જે તોડી પાડવામાં આવ્યાં એવાં મકાનોમાં રહેતા સેંકડો કુટુંબોએ પોતાનું સર્વસ્વ ગુમાવ્યું. માલ મિલકતનો વીમો ઉત્તરાવવાની પ્રથા ત્યારે ખાસ પ્રચલિત નહોતી. એટલે જેમનું ગયું તેમનું બધું જ ગયું. માલિમલકતના આ નુકસાન ઉપરાંત પાંચસોથી વધુ માણસો માર્યા ગયા અને સેંકડો ઘાયલ થયા. આખો બંદર વિસ્તાર ભડકે બળતા સ્મશાન જેવો થઇ ગયો. જે મકાનો બચી ગયાં, પરંતુ સલામતી માટે તાબડતોબ ખાલી કરાવાયાં એવાં કેટલાંયે મકાનોમાં ઘણી ચોરીઓ થઇ. કેટલાંયે કુટુંબો બચી ગયાં, પણ નિરાધાર થઇ ગયાં, કેટલાંય દેશભેગાં થઇ ગયાં. આ નુકસાનનો ભોગ બનેલાં લોકો આ વિસ્તારમાં વસતા મુખ્યત્વે કચ્છી સમાજના હતા. આ વખતે કેટલાંયે ઉદારદિલ કચ્છીઓએ અને અન્ય શ્રેષ્ઠીઓએ આશ્રયસ્થાનો ચાલુ કરી દીધાં. ખાલી જુદી જુદી જગ્યાઓમાં રાતવાસો અને ભોજન માટે પ્રબંધો થવા લાગ્યા. સરકારે પણ ટ્રાન્ઝિટ કેમ્પ-આશ્રયસ્થાનો શરૂ કરી દીધાં હતાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002056
Book TitleSamprat Sahchintan Part 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy