SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪મી એપ્રિલ ૬૧ કરી દેવા જોઇએ. આમેય ૧૯૪૨-૪૩માં યુદ્ધના ભયને કારણે ઘણાં કુટુંબો મુંબઈ છોડી ગયાં હતાં. એટલે કેટલાક મકાનો સૂમસામ થઈ ગયાં હતાં. અમારા કુટુંબમાં પણ વિચારણા થઈ કે બીજે દિવસે કોણે કોણે વતનમાં ચાલ્યા જવું. તે સાંજે લોકો સમાચાર લાવ્યા (છાપાં-રેડિયો-ટેલિફોનનો પ્રચાર તે દિવસોમાં અલ્પ હતો.) કે જાપાનીઓ નથી ચડી આવ્યા, પણ ગોદીમાં સ્ટીમરમાં દારૂગોળામાં લાગેલી આગના ધડાકા થયા છે. આગ અકથ્ય મોટી છે અને હજુ બુઝાઈ નથી એ વાતની ખાતરી અડધા રાતા આકાશથી થઈ ગઈ. પોતપોતાના મકાનની અગાશીઓમાં ચડીને લોકો વધતી જતી આગ મોડી રાત સુધી નિહાળતા રહ્યા હતા. બીજે દિવસે છાપાંઓમાં સત્તાવાર વિગતો આવી. જાપાનની આગેકૂચને ખાળવા માટે બ્રિટને દારૂગોળો ને નાનાં યુદ્ધવિમાનો સહિત નૌકાનો કાફલો ઈગ્લેન્ડથી રવાના કર્યો હતો. ઈગ્લેન્ડમાં બર્કિનોડ બંદરેથી ૨૪મી ફેબ્રુઆરી ૧૯૪૪ના રોજ વીસ યુદ્ધ જહાજો ઊપડ્યાં. એની આગેવાની ફોર્ટ સ્ટીફીન નામના જહાજે લીધી હતી. આ બધાં જહાજો ૧૨મી એપ્રિલે કરાંચી બંદરે આવી પહોંચ્યાં હતાં. ત્યાં એક દિવસ રોકાઈ ૧૪મી એપ્રિલે સવારે એ જહાજ મુંબઈ બંદરે આવી પહોંચ્યાં. તે અહીંથી કોચીન, કલકત્તા, ઢાકા જઇને રંગૂન પહોંચવાનાં હતાં. ૧૪મી એપ્રિલે સાડા બાર વાગે વિરામના એક કલાકમાં જહાજોના કમાનો, ખલાસીઓ, સૈનિકો શહેરમાં ભોજન વગેરે માટે ગયા. તે વખતે ફોર્ટ કેવિયર નામના જહાજના કપ્તાને ફોર્ટ સ્ટીફીનમાંથી સાધારણ ધૂમાડા નીકળતા જોયા હતા. પરંતુ થોડીવારમાં તે બંધ થઈ ગયા હતા. એક કલાકના વિરામ પછી જહાજના કર્મચારીઓ પાછા ફર્યા ત્યારે ફરી પાછી આગ ચાલુ થઈ ગઈ હતી. એટલે તરત જહાજમાં સાવચેતીનો ઘંટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002056
Book TitleSamprat Sahchintan Part 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy