SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪મી એપ્રિલ, ૧૯૪૪ ૧૪મી એપ્રિલ, ૧૯૪૪નો દિવસ મુંબઇના ઇતિહાસમાં રક્તાક્ષરે લખાયેલો છે. મુંબઇએ આવો ભયંકર દિવસ ક્યારેય જોયો નથી. એ દિવસ નજરે જોનાર અને અનુભવનાર કેટલીયે વ્યક્તિઓ ૨૦૦૦ની સાલમાં પણ વિદ્યમાન હશે. તેઓ આ વાતની સાક્ષી પૂરશે. એવા કેટલાકે તો આર્થિક નુકસાન ઉપરાંત પોતાના સ્વજનો પણ ગુમાવ્યાં હશે. મુંબઇની વસતિ ત્યારે વીસેક લાખની હતી. તે મુખ્યત્વે તળ મુંબઇમાં, દાદર, માટુંગા સુધી હતી. થોડીક વસતિ છૂટાંછવાયાં પરાંઓમાં હતી. એક બાજુ આઝાદીની લડતના અને બીજી બાજુ બીજા વિશ્વયુદ્ધના એ દિવસો હતા. ૧૯૪૨-૪૩માં તો યુદ્ધના ભયને કારણે લગભગ અડધું મુંબઇ ખાલી થઇ ગયું હતું, પરંતુ જૂન મહિનામાં નિશાળો ઊઘડતાં કેટલાંયે કુટુંબો વતનમાંથી પાછા આવ્યાં હતાં, ૧૯૪૨-૪૩ના બ્રિટિશ શાસનકાળ દરમિયાન એશિયામાં જાપાન બ્રિટન અને અમેરિકાની સામે યુદ્ધે ચડતાં પરિસ્થિતિએ ભારે વળાંક લીધો હતો. જાપાને થાઇલેન્ડ, મલેશિયા અને સિંગાપુર ઉપર પોતાનો કબજો જમાવી દીધો હતો અને બર્મામાં યુદ્ધ ચાલી રહ્યું હતું. કલકત્તા અને મુંબઇ ઉપર ભય તોળાઇ રહ્યો હતો. યુરોપના યુદ્ધ માટે બ્રિટન દ્વારા ભારતમાંથી લશ્કરી ભરતી પૂરજોશમાં ચાલી રહી હતી. વળી એ યુદ્ધ માટે ઓસ્ટ્રેલિયાથી બોલાવાયેલા સૈનિકો થોડા થોડા દિવસે વચમાં મુંબઇ બંદરે ઊતરતા અને શહેરમાં ઘૂમતા, મુંબઇમાં ‘બ્લેક આઉટ’ આવી ગયો હતો. બારીઓના કાચને કાળા કાગળ ચોંટાડાઇ ગયા હતા. ઘરની બત્તીનું અજવાળું અમુક માપના વર્તુળથી વધે તો દંડ થતો. એર રેઇડ સાયરનની પ્રેકટિસ કરાવાતી અને રસ્તાઓમાં થોડે થોડે અંતરે રેતીની ગુણોની થપ્પીઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002056
Book TitleSamprat Sahchintan Part 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy