SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨ ગુરુ મૌન રહ્યા, પણ આવા ચેલાને ગુરુ આશીર્વાદ આપે કે મનથી શાપ આપે ? ગુરુ વૃદ્ધાવસ્થામાં પહોંચ્યા હોય અને એકનો એક જ ચેલો હોય ત્યારે ગુરુએ કેટલી સમતા રાખવી પડે છે તે તો જેમણે અનુભવ્યું હોય તે જ વિશેષ જાણે. માણસ ઉપરીની આજ્ઞામાં હોય અને એમની આજ્ઞા ઉઠાવવા માટે શિસ્તપાલનમાં રહેવું પડે એ એક સર્વસામાન્ય પરિસ્થિતિ છે. પરંતુ જેઓ પોતાના જીવનમાં વિકાસ કરવા ચાહે છે તેઓએ તો પોતાની જાતને પોતાનામાં જ વશ રાખવી જોઇએ. “આત્માનુશાસન' અથવા નિસશાસન એ આધ્યાત્મિક વિકાસનું મોટું અને મહત્ત્વનું પગથિયું છે. એ માટે જાત પ્રત્યે કઠોર થવાના પ્રસંગો આવે છે. જે માણસ પોતાની જાત પ્રત્યે કઠોર થઈ શકતો નથી તે જીવનમાં બહુ સિદ્ધિ મેળવી શકતો નથી. પ્રમાદ, આળસ, પ્રલોભનો પરનો વિજય મનુષ્યને વિકાસની દિશામાં ત્વરિત ગતિ કરાવે છે. કોઇપણ એક કાર્યપ્રવૃત્તિ માટે માણસ પોતાનું લક્ષ્ય નક્કી કરે છે. એ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે એને પુરુષાર્થ કરવો પડે છે. એ પુરુષાર્થમાં જેટલી કચાશ તેટલી સિદ્ધિ ઓછી મળવાની. માણસને તરવાનું શીખવું છે, સાઇકલ ચલાવતાં કે મોટરકાર ચલાવતાં શીખવું છે, આવી આવી નાની પ્રવૃત્તિથી માંડીને મોટી મોટી પ્રવૃત્તિઓ કરવી હોય, પરંતુ તે માટે મહેનત કરવામાં મન આળસી જાય, નાનાં નજીવાં કારણો મળતાં વાત મુલતવી રાખવાનું મન થયા કરે, બીજી ખાનપાનની કે આનંદ-પ્રમોદની પ્રવૃત્તિઓમાં મન ભટક્યા કરે તો તે નિશ્ચિત સમયમાં પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી ન શકે. એટલા માટે વિકાસશીલ માણસે જાત પ્રત્યે નિષ્ફર બનતાં શીખવું જોઈએ. કોઈક લેખકે કહ્યું છે : No pain, no palm; nọ thorns, no throne; no gall, no glory; no cross, no crown. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002056
Book TitleSamprat Sahchintan Part 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy