SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ अणुसासिओ ण कुप्पिज्जा । વાત્સલ્યભાવરહિત ગુરુ શિષ્યને શિક્ષા કરવાનો નૈતિક અધિકાર ગુમાવી દે છે. શિષ્ય પોતે તો ગુસ્સો ન કરવો જોઇએ પણ પોતાના વર્તનથી ગુરુને ગુસ્સો ન કરાવવો જોઇએ. હાથ નીચેના માણસોના ગેરવર્તનથી ઉપરીઓને કે વડીલોને ક્રોધ કરવાના પ્રસંગો વારંવાર આવતા હોય છે. કેટલાક ઇરાદાપૂર્વક આજ્ઞાભંગ કરતા હોય છે. કેટલાક કામચોર કે બુઠ્ઠી બુદ્ધિના અથવા અવળી મતિના હોય છે. અડિયલ ટટ્ટુ જેવા અવિનીત શિષ્યોનાં ઉદાહરણો પણ ઘણાં હોય છે. એક વાર એક વૃદ્ધ સંન્યાસી અને યુવાન અવિનીત શિષ્ય એક ગામમાં પહોંચ્યા અને એક ધર્મશાળામાં ઊતર્યા. ગુરુ થાકેલા હતા, શરીર અસ્વસ્થ હતું. બંને સૂઇ ગયા. રાત્રે ગુરુને થયું કે બહાર વરસાદ પડતો લાગે છે. એમણે ચેલાને કહ્યું, ‘ભાઇ, જરા બહાર જઇને જો તો કે વરસાદ પડે છે ?' ચેલાએ સૂતાં સૂતાં જવાબ આપ્યો, ‘મહારાજ, બહાર જવાની જરૂર નથી. હમણાં જ એક બિલાડી બહારથી અંદર આવી છે. તમારી પથારી પાસે બેઠી છે. એના શરીર પર હાથ ફેરવો. વરસાદ પડ્યો હશે તો એનું શરીર ભીનું હશે.' થોડીવાર પછી ગુરુએ કહ્યું, ‘ભાઇ, બહારથી ઠંડો પવન આવતો લાગે છે. બારણું અર્ધું ખુલ્લું રહી ગયું લાગે છે. ઊભો થઇને જરા બંધ ક૨શે?' ચેલાએ કહ્યું, ‘મહારાજ, એ માટે મારે ઊભા થવાની જરૂર નથી, તમે જ જરા પગ લંબાવીને બારણાને લાત મારો, એટલે બંધ થઇ જશે.' થોડી વારે ગુરુએ કહ્યું, ‘ભાઇ, મને તાવ ચડ્યો લાગે છે. જો તો મારું માથું ગરમ થઇ ગયું છે ?' ચેલાએ કહ્યું, ‘મહારાજ, તમારાં બે કામ કરી આપ્યાં. હવે ત્રીજું કામ તમારા હાથે જ કરો, કારણ કે મારો હાથ તમારા માથા સુધી પહોંચી શકશે નહિ. તમારો હાથ તમારી પાસે જ છે.’ Jain Education International ૫૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002056
Book TitleSamprat Sahchintan Part 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy