SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨ ઉત્સાહ હોય અથવા માત્ર વેઠ જ હોય. આજ્ઞાપાલન કરાવનાર દરેક વખતે બધું બરાબર સમજી શકે જ એમ ન કહી શકાય, કારણ કે માણસનું મન અકળ છે. પરંતુ એટલું નિશ્ચિત છે કે જ્યાં શિસ્તપાલનમાં ઉમંગ, ઉત્સાહ અને તત્પરતા નથી હોતાં ત્યાં લાંબે ગાળે વ્યક્તિને પોતાને જ નુકસાન પહોંચે છે. ક્યારેક તો એ નુકસાન કેવી રીતે પોતાને પહોંચ્યું છે એની પોતાને પણ ખબર નથી હોતી. માત્ર જાણકારો જ એ વિશે જાણતા હોય છે. વડીલો કે ગુરજનને પક્ષે એટલું અવશ્ય કહેવું જોઇએ કે દરેકે દરેક વખતે તેઓ યોગ્ય પ્રમાણમાં જ માપસર શિક્ષા કરે છે એવું નથી હોતું. ક્યારેક ચીડ, આવેગ કે ગુસ્સામાં તેઓ પોતાનાં સંતાનોને કે શિષ્યોને વધુ પડતી શિક્ષા કરી બેસે છે. કેટલાક પાછળથી એ માટે પસ્તાય પણ છે. આપણે ત્યાં કહેવત છે કે ચીભડાના ચોરને ફાંસીની સજા ન કરાય. એટલે ઘરમાં, વિદ્યાધામમાં, કે ધર્મસ્થાનકો ઇત્યાદિમાં પોતાના આશ્રિતોને શિક્ષા કરતી વખતે પુખ્ત વિચારણાને પૂરતું સ્થાન હોવું જોઇએ. શિસ્તપાલન, અનુશાસન, દંડશિક્ષામાં પણ વિવેકનું લક્ષણ મહત્ત્વનું ગણાયું છે. જે એ ચૂકે છે એને ભોગવવાનો વારો આવે છે. દુનિયામાં જેટલા ગુરુ હોય તે બધા જ ક્યારેય અન્યાય ન કરે, વેર ન વાળ, પૂર્વગ્રહ કે ડંખ ન રાખે એવા હોય એમ બની શકે નહિ. અંતે તેઓ પણ મનુષ્ય છે અને મનુષ્ય સહજ ત્રુટિ કેટલાકમાં હોઇ શકે છે. કેટલાક વિરલાઓ જ એનાથી ઉપર ઊઠી શકે છે. એટલે કેટલાક ગુરુએ જ્યારે શિસ્તપાલનાર્થે શિક્ષા કરી હોય ત્યારે તેમાં પોતાના અંગત સ્વાર્થ, અહંકાર, પૂર્વગ્રહ ઇત્યાદિ કામ કરી જાય એવું પણ સંભવે. એ વખતે એ વિશે તેઓ સભાન હોય કે ન પણ હોય. અલબત્ત, સારા, સાચા ગુર તો શિષ્યને જ્યારે શિક્ષા કરે ત્યારે તે એના હિત માટે જ હોય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002056
Book TitleSamprat Sahchintan Part 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy