SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ अणुसासिओ ण कुप्पिज्जा । ૫૩ બીજાનું ગુલામીનું માનસ બની જવાનો સંભવ રહે છે. આ સંબંધમાં જ્યારે વિસંવાદ થાય છે ત્યારે સંઘર્ષ અને માઠાં પરિણામ નીપજે છે. એમાં પણ અન્ય પક્ષે તન, મન, ધનનું બળ વધુ હોય તો વસ્તુસ્થિતિ વકરે છે. પુત્રે પિતાનું ખૂન કર્યું હોય, વિદ્યાર્થીએ શિક્ષકને તમાચો માર્યો હોય કે ચેલો ગુરુની છાતી પર ચડી બેઠો હોય એવા બનાવો ક્યાં નથી બનતા? એટલે શિસ્તપાલનની વાત કરવી એ એક વાત છે અને જાતે એનો અમલ કરવો એ બીજી વાત છે. એક લેખકે કહ્યું છે કે ‘It is one thing to praise discipline and another to submit to it.' કેટલાક માણસો શિસ્તપાલનની આવશ્યકતા પર ભાર મૂકે છે, એની પ્રશંસા કરે છે, પરંતુ પોતાને માથે જ્યારે નિયમપાલનની વાત આવી પડે છે ત્યારે તેની વિરુદ્ધની તેઓની પ્રતિક્રિયા ચાલુ થઇ જાય છે. જેઓને શિસ્તનું પાલન કરવું પડે છે તેઓ બધા હંમેશાં હોંશથી પાલન કરે એવું નથી. વળી શિક્ષા-punishmentનો વિષય ક્યારેય પ્રિય ન થઇ શકે. માણસ પોતાના દોષોનો એકરાર કરીને એમ કહી શકે કે સારું થયું કે ‘મને શિક્ષા થઇ, નહિ તો હું સુધરત નહિ. મારી આંખ ઊઘડી.’ કોઈ એમ ન કહી શકે કે ‘મને શિક્ષા બહુ ગમે છે અને વારંવાર ગમે એટલા માટે વારંવાર ભૂલ કરવાનું મન થાય છે.’ ગુરુ કે ઉપ૨ીને પણ શિક્ષા કર્યાનો તો જ સંતોષ હોય છે કે જેથી હાથ નીચેનો માણસ સુધરી શકે, ખુદ વારંવાર શિક્ષા કર્યાનો એમને શોખ કે આનંદ ન હોવો જોઇએ. હોય તો તે માનસિક વિકૃતિ છે એમ ગણાય. શિક્ષા કર્યા છતાં જો વ્યક્તિ સુધરે નહિ તો ગુરુ એને છોડી દે છે, કારણ કે એકની ગેરશિસ્ત સમસ્ત સમુદાયને બગાડી શકે છે. કેટલાક માણસો ગુરુનું, વડીલનું કે ઉપરીનું આજ્ઞાપાલન કરે, પણ તે કરતાં વાર લગાડે. એ અજાણતાં હોય અને ઇરાદાપૂર્વક પણ હોય; એ ઇચ્છાપૂર્વક હોય અને અનિચ્છાએ મન વગર પણ હોય. એમાં For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.002056
Book TitleSamprat Sahchintan Part 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy