SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ४८ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨ એટલા માટે અનુશાસનની સમસ્યાઓ હરેક વખતે હરેક ક્ષેત્રે ભિન્નભિન્ન પ્રકારની રહ્યા કરવાની. એટલા માટે એનું નિરાકરણ વ્યક્તિગત ક્ષેત્રે કે સામૂહિક ક્ષેત્રે કેવી રીતે કરી શકાય તેની વિચારણા હંમેશાં થતી રહેવી જોઈએ. એમાં કેટલાક ઉપાયો તત્કાલીન હોય છે અને કેટલાક સર્વકાલીન. ધર્મના ક્ષેત્રે ગુરુ-શિષ્યની પરંપરા ભારતીય સંસ્કૃતિમાં જેવી ઉમદા જોવા મળે છે એવી અન્યત્ર જોવા નથી મળતી. ગુરુ અને શિષ્ય ભિન્નભિન્ન કુટુંબમાંથી આવતા હોવા છતાં ઊંચી કક્ષાના ગુરુ-શિષ્ય વચ્ચે પિતા-પુત્રથી પણ અધિક સંબંધ હોય છે. ગુરુ શિષ્યને શિક્ષા કરે તો તે માત્ર હિતબુદ્ધિથી જ કરે છે અને શિષ્યને પણ તે બરાબર લાગે છે. શિક્ષામાં સમતુલા જાળવવી એ ગુરુનું કર્તવ્ય છે. પોતાને થયેલી શિક્ષા માટે શિષ્યના મનમાં રોષ નથી થતો અને ન થવો જોઇએ. શિષ્ય ગુરુને છોડીને ભાગી જાય તો કોઈ એને અટકાવતું નથી, કારણ કે આ કોઈ ભૌતિક સ્વાર્થથી સ્થપાયેલો સંબંધ નથી. ત્યાગ-વૈરાગ્યની ભૂમિકા ઉપર ઉચ્ચત્તર ધાર્મિક-આધ્યાત્મિક ધ્યેયની પ્રાપ્તિ અર્થે આ સંબંધ સ્થપાયો હોય છે. ઉભય પક્ષે બીજાની પાત્રતાનો અગાઉથી વિચાર થઈ ચૂક્યો હોય છે. શિષ્યનો સમર્પણભાવ એમાં મહત્ત્વનું કાર્ય કરે છે. એથી જ ગુરુ-શિષ્યના સંબંધમાં જાતિ, કુલ, ઉંમર, રૂપ, વ્યવહારુ શિક્ષણ ઇત્યાદિનો ઘણો ભેદ હોવા છતાં અને કેટલાંકમાં ગુરુ કરતાં શિષ્ય ચડિયાતો હોવા છતાં આ સંબંધમાં સંવાદિતા, આનંદ, ઉત્કર્ષની ભાવના ઇત્યાદિ સારી રીતે જળવાયેલાં રહે છે. ગુરુનું શિષ્ય માટે અપાર વાત્સલ્ય ત્યાં સુધી હોય છે કે “મારો શિષ્ય મારા કરતાં સવાયો થાય.” શિષ્યાત્ છે પSIનયમ્ એ સાચા ગુરુની ભાવના હોય છે. અને શિષ્યનો સમર્પણભાવ ત્યાં સુધી હોય છે કે ગુરુ શિષ્યને સાપના દાંત ગણવાની આજ્ઞા કરે તો પળનો પણ વિલંબ કર્યા વગર કે કશો સંશય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002056
Book TitleSamprat Sahchintan Part 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy