SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ अणुसासिओ ण कुप्पिज्जा । ૪૯ કર્યા વગર શિષ્ય એ કરવા તત્પર બની જાય છે. આવા વાત્સલ્યભૂર્ણ ગુરુ અને શિષ્યનું જેવું અદ્વૈત રચાય છે એવું અદ્વૈત સંસારના અન્ય સંબંધોમાં જોવા મળતું નથી. ભારતીય પરંપરામાં જેવું આ અદ્વૈત જોવા મળે છે તેવું અન્ય ધર્મમાં કે પરંપરામાં જોવા નથી મળતું. ગુરુ ભગવંત શિષ્યને શિક્ષા કરે તો તેમાં એમનો હિતકારી વાત્સલ્યભાવ જ રહેલો હોય છે. એટલે ગુરુ તરફથી શિક્ષા થાય તો તેથી શિષ્ય રોષ કરવાનું કશું જ કારણ રહેતું નથી. માટે ભગવાને કહ્યું છે કે શિષ્ય એવે વખતે રોષ ન કરતાં ક્ષમાનો ભાવ ધારણ કરવો. વળી આ શિખામણને અમલમાં મૂકવી હોય તો ક્ષુદ્ર માણસોનો સસંર્ગ છોડી દેવો જોઇએ અને મજાક મશ્કરીનો પણ ત્યાગ કરવો જોઈએ, કારણકે ક્ષુદ્ર માણસોની સોબતથી કે ચડવણીથી શિષ્યના મનમાં ગુરુ પ્રત્યે ચીડ, અભાવ, રોષ પેદા થાય છે. પોતાને યોગ્ય શિક્ષા થઈ હોય ત્યારે સાંત્વન આપનારા માણસો હલકી કોટિના ન હોવા જોઇએ, કારણ કે એમનું સાંત્વન વિષ સમાન હોય છે. - ગુરુ જ્યારે શિષ્યને ટોકે છે, અટકાવે છે, ઠપકો આપે છે કે શિક્ષા કરે છે ત્યારે તે પોતાના શિષ્યના દોષો દૂર કરવાને અર્થે જ એટલે કે શિષ્યને પરિપૂર્ણ બનાવવા માટે જ હોય છે. એમના અંતરમાં પોતાના શિષ્યને માટે અપાર લાગણી હોય છે. એટલે જ કબીરે ગુરુને માટે કુંભકારનું અને શિષ્યને માટે કુંભનું રૂપક પ્રયોજીને કહ્યું છે : ગુર કુંભાર શિષ્ય કુંભ હૈ, ઘડ ઘડ કાઢે ખોટ; અંતર હાથ સહાર દે, બાહર વાહૈ ચોટ. ઘડો ઘડતી વખતે કુંભારનો એક હાથ અંદર હોય છે ને એક હાથ બહાર હોય છે. બહારના હાથથી તે ઘડાને થપાટતો હોય છે. થપાટ મારતી વખતે એનો આશય ઘડાને ભાંગી નાંખવાનો નહિ પણ ઘડાનું ખરબચડાપણું દૂર કરવાનો હોય છે. ગુરુ પણ શિષ્યને એ રીતે અંદરથી અને બહારથી ઘડે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002056
Book TitleSamprat Sahchintan Part 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy