SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ अणुसासिओ ण कुप्पिज्जा । ૪૭ શારીરિક તાકાત અને સુંદરતા ઇત્યાદિનું ઉચ્ચાવચપણું પણ રહેવાનું જ. આવા વૈવિધ્યસભર જીવનમાં સંવાદ (harmony) સ્થાપવા માટે કેટલાક નિયમો બનાવવાની ફરજ પડે જ. એ નિયમોને રાજકીય સ્તરે કાયદાનું સ્વરૂપ આપી શકાય. સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક ઇત્યાદિ સ્તરે પણ નિયમોને વિવિધ પ્રકારનું રૂપ આપી શકાય. જ્યાં નિયમ કે કાયદો હોય ત્યાં બે પ્રશ્નો અવશ્ય ઉપસ્થિત થવાના. એક તે કોઈ કાયદાનો જાણતાં કે અજાણતાં ભંગ કરે તો શું કરવું ? અને બીજું તે પરિસ્થિતિ બદલાય અને નિયમ જૂનો થઇ જાય તો શું કરવું? વળી, આ નિયમ કે કાયદાની સત્તા કોને અને કેટલી હોય? એ સત્તાનો ઉપયોગ ન કરે અથવા દુરુપયોગ કરે તો શું કરવું ? અને પરિસ્થિતિ અનુસાર નવા નિયમો કોણ ઘડે અને કોણ મંજૂર રાખે? આમ આગળ વધતાં વધતાં અનુશાસનના ક્ષેત્રે સેંકડો પ્રશ્નો ઉદ્ભવી શકે. પરંતુ એટલું નિશ્ચિત જ છે કે કુટુંબ હોય કે વિદ્યાના ક્ષેત્રો હોય, ધંધાદારી કંપની હોય કે સરકારી તંત્ર હોય-દરેક માટે લખ્યા કે વણલખ્યા કેટલાયે નિયમો હોવા જરૂરી છે. અનુશાસન- શિસ્તપાલન વગર કોઇપણ તંત્ર કે વ્યવસ્થા ઝાઝો સમય ટકી ન શકે. ગેરશિસ્તને કારણે કુટુંબોમાં વિખવાદ પેદા થાય, શૈક્ષણિક ક્ષેત્રો શિથિલ થઈ જાય, વેપાર ઉદ્યોગો પાયમાલ થઇ જાય, સરકારી તંત્રમાં સત્તાની ઉથલપાથલ થાય. નાની સરખી રમતગમત માટે પણ બે જણ વચ્ચે નિયમ નક્કી કરવા પડે છે અને આંતરરાષ્ટ્રીય સંગઠનો કે બહુરાષ્ટ્રીય કંપનીઓને પણ નિયમો કરવા જ પડે છે. જેમ માનવજીવનના વિકાસ માટે અનુશાસનની જરૂર છે તેમ બીજી બાજુ નિયમનું મન વગર પાલન કરવું, નિયમમાંથી છટકબારી શોધવી, નિયમનો ભંગ કરીને શિક્ષા ભોગવી લેવી ઈત્યાદિ પ્રકારની મનોવૃત્તિ પણ માનવજાતમાં આદિકાળથી રહેલી છે, કારણ કે સ્વાર્થનો સગુણ કે દુર્ગુણ જીવમાત્રમાં રહેલો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002056
Book TitleSamprat Sahchintan Part 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy