SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ अणुसासिओ ण कुप्पिज्जा --ભગવાન મહાવીર [અનુશાસિત થતાં (કે શિક્ષા પામતાં) કોઇ ન કરવો] ભગવાન મહાવીર જન્મકલ્યાણકના અવસરે એમનાં અનેક વચનોમાંથી આ એક વચનનું સ્મરણચિંતન કરીએ. ભગવાન મહાવીર સ્વામીએ “ઉત્તરાધ્યયન' સૂત્રના “વિનય' નામના પહેલા અધ્યયનમાં શિષ્યના ગુરુ પ્રત્યેના વિનય ઉપર બહુ ભાર મૂક્યો છે અને શિષ્યને વિવિધ પ્રકારની સાચી અને હિતકારી સલાહસૂચના આપી છે. એમાંની એક સલાહ એ છે કે અનુશાસિત થવામાં શિષ્ય ક્યારેય પણ ક્રોધ ન કરવો. એ ગાથા નીચે પ્રમાણે છે : अणुसासिओ ण कुप्पिज्जा खंति सेविज्ज पंडिए । खुड्डेहिं सह संसग्गिं हासं कीडं च वज्जए । ગુરુ દ્વારા અનુશાસિત થતી વખતે (કે શિક્ષા પામતી વખતે) ક્રોધ કરવો નહિ. પંડિત (બુદ્ધિમાન, ડાહ્યા) શિષ્ય ક્ષમા ધારણ કરવી. સુદ્ર લોકોનો સંસર્ગ ત્યજી દેવો અને હાસ્ય-મજાક તથા એવી ચેષ્ટાઓ છોડી દેવી જોઈએ. ] “અનુશાસન' શબ્દમાં “શાસન' શબ્દ છે. એ શાસ ધાતુ પરથી આવેલો છે. એનો અર્થ થાય છે રાજ્ય કરવું, પ્રભુત્વ ધરાવવું, નિયમમાં કે અંકુશમાં રાખવું, શિક્ષા કરવી. અનુશાસન એટલે શિસ્તપાલન. અનુશાસિત થતાં એટલે નિયમમાં રહેતાં અથવા પોતાના ઉપર શિસ્તપાલન થતાં. અર્થવિસ્તાર કરીએ તો “ગુરુ દ્વારા દંડ કે શિક્ષા થતાં” એવો અર્થ લઈ શકાય. અનુશાસન એટલે કે શિસ્તપાલન (Discipline)ની આવશ્યકતા જીવનના સર્વ ક્ષેત્ર અને સર્વકાલ માટે છે. મનુષ્યોમાં ઉંમરમાં નાનામોટાપણું સદાકાળ રહેવાનું. એની સાથે શિક્ષણ, ધન, સત્તા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002056
Book TitleSamprat Sahchintan Part 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy