SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વ. પંડિત દલસુખભાઈ માલવણિયા ૪૫ ત્યારે તો એક જ રૂમમાં અમારે સાથે રહેવાનું થયું હતું. કેટલાક સમય પહેલાં એક ગ્રંથના વિમોચન પ્રસંગે તેઓ સાયલા આવ્યા હતા ત્યારે તો લગભગ આખો દિવસ અમે બંને સાથે રહ્યા હતા. દલસુખભાઇની સાથે રહીએ તો એમની વિદ્વતાનો અને એમની મહત્તાનો આપણને જરાપણ બોજ ન લાગે. રસ્તામાં ચાલ્યા જતા હોય તો ખબર ન પડે કે એક વિશ્વવિખ્યાત સ્કૉલર છે. સાધારણ માણસ તરીકે જ તેઓ હરતાફરતા રહે. એમની આ લઘુતામાં જ એમની મહત્તા રહેલી હતી. એમની જૈન દર્શનની જાણકારી આપણને આશ્ચર્યમુગ્ધ કરી દે એટલી બધી હતી. તેઓ વિવેકશીલ, સત્યાન્વેષક અને અનાગ્રહી હતા. દલસુખભાઇનો પત્ર આવે એટલે સૌથી પહેલો શબ્દ એમણે લખ્યો હોય-‘પ્રણામ’. તેઓ ટૂંકા પણ મુદ્દાસર પત્ર લખતા અને પત્રનો ઉત્તર અચૂક આપતા. દલસુખભાઈ સ્વભાવે અત્યંત નિખાલસ અને નિઃસ્પૃહ હતા. આથી જ તેઓ પોતાને જે સત્ય લાગે તે કહેવામાં સંકોચ અનુભવતા નહિ, જૈન દર્શનનો, જૈન આગમિક સાહિત્યનો તેમનો અભ્યાસ ઊંડો હતો. એથી જ સાંપ્રદાયિક સંકુચિતતા તેમનામાંથી નીકળી ગઇ હતી. તેમની દૃષ્ટિ તટસ્થ, ઉદાર અને પ્રમાણભૂત રહેતી. સ્વ. દલસુખભાઇના અવસાનથી આપણને એક સત્ત્વશીલ સારસ્વતની ખોટ પડી છે. પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002056
Book TitleSamprat Sahchintan Part 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy