SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ४४ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨ સોંપી હતી. પ્રથમ સમારોહ મુંબઇમાં શ્રી કે. કા. શાસ્ત્રીના પ્રમુખપદે યોજ્યો હતો અને એમાં તત્ત્વજ્ઞાન વિભાગના પ્રમુખ તરીકે દલસુખભાઇ હતા. આ પ્રથમ સમારોહ વખતે એમનું માર્ગદર્શન મને ઘણું કામ લાગ્યું હતું. ત્યારપછીનો સમારોહ અમે દલસુખભાઈના પ્રમુખપદે મહુવામાં યોજ્યો હતો. ત્યારે એમણે મનનીય પ્રવચન આપ્યું હતું. એમની વિદ્વતા, જાણકારી, સરળતા, નિખાલસતા, તટસ્થતાની સૌ કોઇને પ્રતીતિ થયા વગર રહે નહિ. આ સમારોહ પછી તેઓ સોનગઢ, સુરત, ખંભાત, પાલનપુર વગેરે સ્થળે યોજાયેલા સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા પ્રતિવર્ષ યોજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં તેઓ ઘણી વાર વ્યાખ્યાન આપવા માટે પધારતા. આ વ્યાખ્યાનમાળાનું સુકાન જ્યારે મને સોંપાયું ત્યારે હું પણ એમને એ માટે નિમંત્રણ આપતો. પણ પછી મોટી ઉંમરને કારણે તેઓને કલાકનું પ્રવચન આપવું ગમતું કે ફાવતું નહિ. વળી પોતાને જે કહેવાનું તે બધું પોતે અગાઉ કહી દીધું છે એટલે પણ એમને ગમતું નહિ. એક વખત તો સભામાં જ તેમણે એ પ્રમાણે નિવેદન કરેલું અને વ્યાખ્યાનનું નિમંત્રણ સ્વીકારવાનું બંધ કરેલું. ત્યારપછી તેઓ સભાઓમાં પ્રાસંગિક વક્તવ્ય પાંચ પંદર મિનીટ માટે આપતા, પણ સળંગ એક જ વિષય પર મૌખિક વ્યાખ્યાન આપતા નહિ. સભાઓમાં પણ તેઓ કેટલીક વાર પોતાનો સ્પષ્ટ નિખાલસ અભિપ્રાય ઉચ્ચારતા કે જે આયોજકોને પ્રતિકૂળ હોય. આમ, મુંબઈ, અમદાવાદ, દિલ્હી વગેરે સ્થળે શ્રી મહાવીર જૈન વિદ્યાલય, જૈન સાહિત્ય સમારોહ, પર્યુષણ વ્યાખ્યાનમાળા ઇત્યાદિના નિમિત્તે મારે એમને મળવાનું અવારનવાર થતું રહેતું. હરિભદ્રસૂરિ વિશેના પરિસંવાદ માટે તેઓ દિલ્હીમાં વલ્લભ સ્મારકમાં આવ્યા હતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002056
Book TitleSamprat Sahchintan Part 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy