SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વ. પંડિત દલસુખભાઈ માલવણિયા ૪૩ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે “સંબોધિ' નામના સૈમાસિકનું સંપાદનકાર્ય પણ ઘણાં વર્ષ સુધી સંભાળ્યું હતું. સંસ્કૃત, પ્રાકૃત, જૈન દર્શન અને બૌદ્ધ દર્શનના વિષયોનો ઊંડો અભ્યાસ કરવાના પરિણામે દલસુખભાઈને યુનિવર્સિટીની ડિગ્રી ના હોવા છતાં સમકક્ષ એવી “ન્યાયતીર્થ' વગેરે ડિગ્રી હોવાથી યુનિવર્સિટીની અનુસ્નાતક કક્ષાએ કામ કરવા મળ્યું હતું. એમની એ આગવી સિદ્ધિ હતી કે શાળામાં મેટ્રિકની પરીક્ષા પાસ કર્યા વગર, કિૉલેજમાં અભ્યાસ કર્યા વગર, બી.એ. કે એમ.એ.ની ડિગ્રી મેળવ્યા વગર તેઓ યુનિવર્સિટીના અનુસ્નાતક વિભાગના અધ્યક્ષ કે અનુસ્નાતક સંસ્થાના ડિરેક્ટરના પદ સુધી પહોંચી શક્યા હતા. ને પીએચ.ડી.ના માર્ગદર્શક તથા પરીક્ષક પણ રહી ચૂક્યા હતા. અંગ્રેજી ભણ્યા ન હોવા છતાં મહાવરાથી તેઓ અંગ્રેજીમાં લખાયેલા ગ્રંથો અને સામયિકો વાંચતા રહ્યા હતા ને અંગ્રેજીમાં લેખો પણ લખતા રહ્યા હતા. આવી ઘણી બધી સિદ્ધિઓને કારણે જ ભારત સરકારે એમને પદ્મવિભૂષણ'નો ઈલકાબ આપ્યો હતો. હું જ્યારે જ્યારે અમદાવાદ જાઉં ત્યારે એલ.ડી.માં દલસુખભાઈને મળવા માટે જવાનું મારે અચૂક રહેતું. એક જ વિષયના રસને લીધે આ ક્ષેત્રમાં થયેલી પ્રગતિના સમાચાર એમની પાસેથી મળતા. શ્રી મહાવીર જૈન વિદ્યાલયની જૈન સાહિત્યને લગતી કાર્યવાહીમાં કે સમિતિમાં એમની સાથે મને કામ કરવા મળ્યું હતું. હું શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મંત્રીપદે હતો ત્યારે એમના જાહેર અભિવાદનનો કાર્યક્રમ પણ અમે યોજ્યો હતો. ઈ. સ. ૧૯૭૬માં શ્રી મહાવીર જૈન વિદ્યાલયે જૈન સાહિત્ય સમારોહ યોજવાનું ઠરાવ્યું હતું અને એના સંયોજનની જવાબદારી મને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002056
Book TitleSamprat Sahchintan Part 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy