SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨ ધારાધોરણ પ્રમાણે એમને નિવૃત્ત થવું પડ્યું તો પણ ટ્રસ્ટીઓએ એમની સલાહકારના પદે નિયુક્તિ કરી હતી. - દલસુખભાઇ ઘણી જુદી જુદી સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. તેઓ પીએચ.ડી.ના માર્ગદર્શક હતા અને ઘણી યુનિવર્સિટીઓમાં પીએચ.ડી.ના પરીક્ષક હતા. મુંબઈ યુનિવર્સિટીમાં મારા માર્ગદર્શન હેઠળ શ્રીમદ્ રાજચંદ્ર વિશે તૈયાર થયેલી પ્રથમ થિસિસના પરીક્ષક તરીકે તેઓ હતા. તેમણે ટોરેન્ટો ઉપરાંત બર્લિનની યુનિવર્સિટીમાં અને પેરીસની યુનિવર્સિટીમાં મુલાકાતી પ્રાધ્યાપક તરીકે કાર્ય કર્યું હતું. જૈન ધર્મ અને દર્શનની સાથે સાથે બૌદ્ધ ધર્મ અને દર્શનના ઊંડા તલસ્પર્શી અભ્યાસને લીધે એમનું નામ દર્શનશાસ્ત્રના વિદ્યાભ્યાસના ક્ષેત્રે પ્રસિદ્ધિ પામ્યું હતું. આથી જ વિદેશોની યુનિવર્સિટીઓમાં પણ એક અભ્યાસી અન્વેષક તરીકે તેઓ સુખ્યાત બન્યા હતા. આથી જ ૧૯૬૭માં કેનેડાની ટોરાન્ટો યુનિવર્સિટીના એશિયન સ્ટડીઝ વિભાગના પ્રોફેસર વોડરે એમને વિઝિટિંગ પ્રોફેસર તરીકે કેનેડા આવવા અને બૌદ્ધ દર્શન તથા અન્ય દર્શનો વિશે અધ્યાપન-કાર્ય કરવા માટે નિમંત્રણ આપ્યું હતું. એમની વિદ્વતાની વિદેશની એક યુનિવર્સિટીએ આ રીતે કદર કરી હતી. આ નિમંત્રણ સ્વીકારીને તેઓ લગભગ સવા વર્ષ કેનેડામાં રહ્યા હતા. અને ત્યાં પોતાના વિદ્યાભ્યાસની સુવાસ પ્રસરાવી હતી. પંડિત દલસુખભાઈએ ગુજરાતી, હિંદી અને અંગ્રેજી એમ ત્રણે ભાષામાં લેખનકાર્ય કર્યું છે. સંશોધન, અનુવાદ, સંપાદન, ચિંતનાત્મક નિબંધ એમ વિવિધ પ્રકારનું લેખનકાર્ય એમણે કર્યું છે. એમાં આત્મમીમાંસા', “જૈન ધર્મચિંતન”, “પ્રમાણમીમાંસા', “જ્ઞાનબિંદુ', તકભાષા”, “ન્યાયાવતાર કાર્તિકવૃત્તિ', “ભગવાન મહાવીર સ્વામીનો જીવનસંદેશ”, “પંડિત સુખલાલજી' “આગમ યુગ કા જૈનદર્શન'ના ઇત્યાદિ એમના ગ્રંથો સુવિદિત છે. એમણે એલ. ડી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002056
Book TitleSamprat Sahchintan Part 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy