SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વ. પંડિત દલસુખભાઈ માલવણિયા ૪૧ પંડિત સુખલાલજીના વાચક તરીકે કામ કરતા, પછીથી પંડિતજીને ગ્રંથ સંપાદનમાં સહાય કરતા. ત્યારપછી તેમણે સ્વતંત્ર સંપાદનો કર્યાં. યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે એમની નિમણૂક થઇ અને તેઓ વર્ગો લેવા લાગ્યા. પંડિતજીના તેઓ પ્રીતિપાત્ર બન્યા. યુનિવર્સિટીમાં પણ તેમની વિદ્વતાની અને નિષ્ઠાની સુવાસ પ્રસરી અને પંડિતજી જ્યારે યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થઈને અમદાવાદ આવ્યા ત્યારે એમની જગ્યાએ, જૈન દર્શનના વિભાગના અધ્યક્ષ તરીકે દલસુખભાઈની નિમણૂંક થઇ. આમ, બનારસ એમનું મહત્ત્વનું કાર્યક્ષેત્ર, એમના જીવનના મધ્યાહ્નકાળમાં બની રહ્યું હતું. ૧૯૫૨માં કેન્દ્ર સરકારે પ્રાકૃત ટેક્સ્ટ સોસાયટીની સ્થાપના કરી અને એના મંત્રીપદે દલસુખભાઇની વરણી કરી, કારણ કે તેઓ જૈનોની અર્ધમાગધી અને બૌદ્ધોની પાલી-એમ બંને પ્રકારની પ્રાકૃત ભાષાના પંડિત હતા અને બંને દર્શનોના ગ્રંથોના અભ્યાસી હતા. આ સોસાયટીના કાર્ય નિમિત્તે તેઓ તેની કાર્યવાહક સમિતિના એક સભ્ય શેઠશ્રી કસ્તુરભાઇ લાલભાઈના સંપર્કમાં આવ્યા, એ દિવસો દરમિયાન શેઠશ્રી પ. પૂ. શ્રી પુણ્યવિજયજી મહારાજના પણ ગાઢ સંપર્કમાં હતા. એમની પ્રેરણાથી જ્યારે એમણે અમદાવાદમાં ‘લાલભાઇ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર'ની સ્થાપના કરવાનું વિચાર્યું ત્યારે એના નિર્દેશક-ડિરેક્ટરના પદ માટે યોગ્ય વ્યક્તિ તરીકે પ. પૂ. શ્રી પુણ્યવિજયજી મહારાજ અને પંડિત સુખલાલજીની ભલામણથી પંડિત દલસુખભાઈની પસંદગી કરી હતી. દલસુખભાઈએ બનારસમાંથી નિવૃત્ત થઇ એ સ્થાન ગ્રહણ કર્યું અને સત્તર વર્ષ શોભાવ્યું અને એલ.ડી. ઇન્સ્ટિટ્યૂટને દેશવિદેશમાં એક ખ્યાતનામ સંસ્થા બનાવી દીધી. ઇન્સ્ટિટ્યૂટમાં એક ખ્યાતનામ સ્કૉલર ઉપરાંત કુશળ વહીવટકર્તા તરીકે પણ દલસુખભાઇની કામગીરી અત્યંત પ્રશસ્ય રહી હતી અને એથી જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002056
Book TitleSamprat Sahchintan Part 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy