SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ સાંપ્રત સહચિંતન ભાગ ૧૨ આગમોનો અભ્યાસ કરાવતા હતા. દલસુખભાઈ માટે આ એક ઉત્તમ તક હતી. એમની પ્રતિભા આ સંસ્થામાં સારી રીતે પાંગરી, આ બધો અભ્યાસ એમણે વિના ખર્ચે ટ્રેનિંગ કૉલેજના ઉપક્રમે જ કર્યો. દરમિયાન એમનાં લગ્ન થયાં. હવે આજીવિકાની આવશ્યકતા ઊભી થઇ. એટલે ટ્રેનિંગ કૉલેજે આપેલી નોકરીની ગેરંટી અનુસાર તેઓ મુંબઇમાં સ્થાનકવાસી જૈન કોન્ફરન્સના મુખપત્ર ‘જૈન પ્રકાશ'માં જોડાઇ ગયા. પરંતુ ‘જૈન પ્રકાશ'ની ઓફિસમાં એમને લેખન-અધ્યાપનને બદલે કલાર્ક તરીકે કામ વધારે કરવાનું રહેતું. લગભગ એક વર્ષ એ રીતે એમણે કામ કર્યું. ત્યાં મુંબઇમાં પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીનો સંપર્ક થયો. પંડિતજી ત્યારે બનારસ યુનિવર્સિટીમાં જૈન દર્શનના વિભાગના અધ્યક્ષ તરીકે કામ કરતા હતા. તેઓ આંખે દેખતા નહિ એટલે સારું વાંચી સંભળાવે એવી વ્યક્તિની એમને જરૂર હતી. એ વ્યક્તિ સંસ્કૃત, પ્રાકૃત અને જૈન દર્શનની જાણકાર હોવી જોઈએ કે જેથી પંડિતજીના કામમાં સરળતા રહે. પંડિતજીને દલસુખભાઇમાં એ યોગ્યતા જણાઇ. એમણે દલસુખભાઇને બનારસ આવવા કહ્યું. દલસુખભાઇ એથી ‘જૈન પ્રકાશ’ની નોકરી છોડીને ઓછા પગારે નોકરી કરવા પંડિતજી સાથે બનારસ ગયા. દલસુખભાઇનું આર્થિક દૃષ્ટિએ આ એક સાહસ હતું, પરંતુ બીજી બાજુ પંડિતનો સહવાસ મળ્યો એ મોટું સદ્ભાગ્ય હતું. પંડિતજીની સાથે કાર્ય કરવાને લીધે એમની પ્રતિભા બહુ સારી રીતે ઘડાઇ હતી. પંડિતજીના ‘દર્શન અને ચિંતન' ગ્રંથનું સંપાદન એમણે કર્યું હતું. -- સ્વ. દલસુખભાઇ બિકાને૨, જયપુર, બ્યાવર, અંજા૨, અમદાવાદ, શાંતિનિકેતન, મુંબઇ એમ વિવિધ પ્રદેશોનાં વિવિધ સ્થળે એકબે વર્ષ રહ્યા, પરંતુ ત્યાર પછી બનારસમાં પચીસેક વર્ષની ઉંમરે તેઓ ગયા અને ત્યાં લગભગ અઢી દાયકા સુધી રહ્યા. આરંભમાં તેઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002056
Book TitleSamprat Sahchintan Part 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy