SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વ. પંડિત દલસુખભાઈ માલવણિયા ૩૯ આ વર્ષોમાં જયપુરના શ્રી દુર્લભજીભાઈ ઝવેરીની પ્રેરણા અને આર્થિક સહાયથી સ્થાનકવાસી જૈન કોન્ફરન્સ જૈન પંડિતો તૈયાર કરવા માટે બિકાનેરમાં એક ટ્રેનિંગ કૉલેજ ચાલુ કરી. કહેવાય કૉલેજ, પણ હકીકતમાં તો પાઠશાળા જ હતી. ગરીબ વિદ્યાર્થીઓને ભણાવવાના અને ભણી રહે ત્યારપછી ત્રણ વર્ષ નોકરી પણ મળે એવી શરત તેઓએ રાખી હતી. દલસુખભાઈ પાસે બિકાનેર સુધી જવાનું ભાડું નહોતું, પરંતુ એમની ભાવસાર જ્ઞાતિએ એ ભાડું આપીને એમને બિકાનેર ભણવા મોકલ્યા. રહેવા જમવાની અને વિદ્યાભ્યાસની મફત સારી સગવડને લીધે દલસુખભાઈની શક્તિ વિકસતી ગઈ. સંસ્થા વિદ્યાર્થીઓને જ્યાં પંડિતો હોય ત્યાં વિદ્યાભ્યાસ માટે મોકલતા. એ રીતે દલસુખભાઈને બિકાનેર ઉપરાંત જયપુર, વ્યાવર, અંજાર (કચ્છ) વગેરે સ્થાને ગુરુકુળમાં રહી અભ્યાસ કરવાની તક મળી. કચ્છમાં તો શતાવધાની શ્રી રત્નચંદ્રજી મહારાજ પાસે વિદ્યાભ્યાસની તક મળી. એ રીતે તેમણે સંસ્કૃત અને પ્રાકૃત ભાષાનો અભ્યાસ કરીને “ન્યાયતીર્થ” તથા “જૈન વિશારદ'ની ડિગ્રી મેળવી. બિકાનેરની ટ્રેનિંગ કૉલેજના તેજસ્વી વિદ્યાર્થીઓમાંથી દલસુખભાઈ અને શાંતિલાલ વનમાળીદાસની પસંદગી અમદાવાદમાં પંડિત બેચરદાસ દોશી પાસે વિદ્યાભ્યાસ માટે મોકલવા માટે થઈ. તે પ્રમાણે તેઓ અમદાવાદ આવ્યા ને પંડિત બેચરદાસ પાસે એમણે પ્રાકૃત ભાષા અને આગમોનો અભ્યાસ કર્યો. સવા વર્ષ એ રીતે અભ્યાસ ચાલ્યો. દરમિયાન પંડિત બેચરદાસને આઝાદીની રાષ્ટ્રીય ચળવળમાં ભાગ લેવા માટે કારાવાસની સજા થઈ એટલે એ અભ્યાસ બંધ પડ્યો. દરમિયાન દલસુખભાઈની શક્તિ અને વિકાસથી પ્રભાવિત થયેલા શ્રી દુર્લભજીભાઈએ દલસુખભાઇને રવીન્દ્રનાથ ટાગોરના શાંતિનિકેતનમાં અભ્યાસ કરવા મોકલ્યા. ત્યાં મુનિ જિનવિજયજી જૈન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002056
Book TitleSamprat Sahchintan Part 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy