SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨ - સ્વ. દલસુખભાઈનું જીવન એટલે ભારે પુરુષાર્થનું જીવન. વીસમી સદીના ઘણા નામાંકિત મહાપુરુષોને ગરીબી ને બેકારીના વિપરીત સંજોગોની સામે સબળ સંઘર્ષ કરવો પડ્યો હતો. ત્યારે દેશકાળની પરિસ્થિતિ જ એવી હતી. દલસુખભાઈને પણ બાળપણ અને યૌવનમાં ઘણું વેઠવું પડ્યું હતું. સ્વ. દલસુખભાઈનો જન્મ ૨૧મી જુલાઇ ૧૯૧૦ના રોજ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલામાં-ભગતના ગામમાં થયો હતો. એમના પિતાનું નામ ડાહ્યાભાઈ અને માતાનું નામ પાર્વતીબહેન. તેઓ જ્ઞાતિએ ભાવસાર હતા અને સ્થાનકવાસી ધર્મ પાળતા. તેઓના વડવાઓ માલવણ ગામના હતા એટલે એમની અટક “માલવણિયા' પડી ગઈ હતી. ડાહ્યાભાઈને ચાર દીકરા અને એક દીકરી એમ પાંચ સંતાનો હતાં. એમાં સૌથી મોટા દલસુખભાઈ ડાહ્યાભાઇ સાયલામાં પરચૂરણ ચીજવસ્તુઓની નાનકડી દુકાન ધરાવે, પરંતુ એમાંથી ખાસ કંઈ કમાણી થાય નહિ એટલે જેમ તેમ ગુજરાન ચલાવતા. દલસુખભાઈએ સાયલાની પ્રાથમિક શાળામાં બે ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. તેઓ દસ વર્ષના થયા ત્યારે એમના પિતાનો સ્વર્ગવાસ થયો. માતા પાર્વતીબહેન દુઃખના એ દિવસોમાં જેમતેમ ગુજરાન ચલાવતાં, પરંતુ ગરીબી એટલી અસહ્ય હતી કે કુટુંબનો નિર્વાહ થતો ન હતો. એથી માતા પાર્વતીબહેનને પોતાના ચારે દીકરાઓને સુરેન્દ્રનગરના અનાથાશ્રમમાં મૂકવા પડ્યા હતા. અનાથાશ્રમમાં રહીને દલસુખભાઈએ અંગ્રેજી પાંચમા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. એમની વિદ્યારુચિ જેમ જેમ વધતી ગઈ તેમ તેમ તેઓ અનાથાશ્રમની લાયબ્રેરીનાં પુસ્તકો વાંચતા રહ્યા હતા. આ રીતે અનાથાશ્રમમાં તેઓ સાત વર્ષ રહ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002056
Book TitleSamprat Sahchintan Part 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy