SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વ. પંડિત દલસુખભાઈ માલવણિયા ૩૭ દલસુખભાઈને પહેલી વાર મળવાનું મારે ૧૯૫૭ના અરસામાં થયેલું કે જ્યારે પંડિત સુખલાલજીનું ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના હસ્તે મુંબઈ યુનિવર્સિટીના કોન્વોકેશન હોલમાં અભિવાદન થયું હતું. આ અભિવાદનના કાર્યક્રમમાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘ સક્રિયપણે જોડાયેલો હતો. તે સમયે પંડિત સુખલાલજી અને પરમાનંદભાઈ સાથે દલસુખભાઇ, રતિલાલ દેસાઈ વગેરે મહાનુભાવો અમારા ઘરે ભોજન માટે પધાર્યા હતા. ત્યારે દલસુખભાઈનો પહેલો પરિચય થયો હતો. ત્યારે ખાદીની કફની, ધોતિયું અને માથે સફેદ ટોપી એ એમનો પોશાક હતો. (પછીથી એમણે ધોતિયાને બદલે પાયજામો ચાલુ કર્યો હતો ને ટોપી છોટી દીધી હતી.) આ પરિચય વખતે હું મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજમાં ગુજરાતી વિષય ભણાવતો હતો. દલસુખભાઈ ત્યારે બનારસ યુનિવર્સિટીમાં જૈનદર્શન ભણાવતા. બનારસ યુનિવર્સિટીમાં ગુજરાતી વિષયનો વિભાગ નહોતો, પરંતુ જે વિદ્યાર્થીઓને પોતાની મેળે અભ્યાસ કરવો હોય તેમને માટે અભ્યાસક્રમ રહેતો. અને તેઓ તે વિષયની પરીક્ષા આપી શકતા. એક દિવસ અચાનક મને કૉલેજના સરનામે બનારસ યુનિવર્સિટી તરફથી પત્ર મળ્યો. ગુજરાતી વિષયના પરીક્ષક તરીકે કામ કરવા માટે નિમંત્રણ હતું. દલસુખભાઈની ભલામણથી જ નિમણૂંક થઈ હતી. મેં તે સહર્ષ સ્વીકારી લીધી. ત્યારપછી વર્ષો સુધી એ નિમંત્રણ મને મળતું રહ્યું હતું. પ્રબુદ્ધ જીવન સાથે દલસુખભાઇનો સંબંધ જ્યારે એ પ્રબુદ્ધ જૈન” હતું ત્યારથી એટલે કે ઠેઠ ૧૯૪૨થી શરૂ થયો હતો. ૧૯૭૩ સુધી તેઓ અવારનવાર પ્રબુદ્ધ જીવન” માટે લેખ, ગ્રંથાવલોકન, અહેવાલ, સમકાલીન નોંધ વગેરે લખતા રહ્યા હતા. લગભગ પાંસઠ-સિત્તેરની ઉંમર પછી એમની લેખનપ્રવૃત્તિ મંદ પડી હતી. કેનેડાના પોતાના અનુભવોની લેખમાળા “નવી દુનિયા'ના નામથી ૧૯૬૮-૬૯માં એમણો “પ્રબુદ્ધ જીવન” માટે લખી હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002056
Book TitleSamprat Sahchintan Part 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy