SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪) સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨ કપડાં-વાસણ “બરાબર” ધોવાની નોકરને કડક સૂચના આપનાર શેઠાણીઓનો ક્યાં તોટો છે? નળ બગડી ગયો હોય અને પાણી સતત ગળતું હોય, પાઈપ તૂટી ગઈ હોય, પાઈપલાઈન ફાટી ગઈ હોય, ટાંકીઓ ભૂલમાં ઉભરાતી હોય--રીઢા માણસોને આ બધી વસ્તુઓ જરા પણ ખટકતી નથી. એક લેખકે કહ્યું છે : Water is fast becoming our most valuable, most prized, most critical resource. A blessing where properly used, but it can bring devastation and ruin when left uncontrolled. મહાત્મા ગાંધીજી સાબરમતી નદીમાંથી જેટલી લોટી પાણી પોતાને જોઇએ તેટલું જ વાપરતા. એમણે કહેલું કે સાબરમતી નદી ફક્ત મારા એકલાને માટે વહેતી નથી. જૈન સાધુ-સાધ્વીઓ પાણીનો ખપ પૂરતો જ ઉપયોગ કરે છે. પાણીનો જરા પણ બગાડ એમને હાથે થતો નથી. પાણીના ઉપયોગમાં તેઓ આદર્શરૂપ છે. પ્રાકૃતિક સંપત્તિને સાચવવામાં તેમનો ફાળો મોટામાં મોટો છે. ભારતમાં નાગરિક જાગૃતિ પૂરતા પ્રમાણમાં ન હોવાથી તળાવો, સરોવરો, નદીઓ, સમુદ્રકિનારો ઈત્યાદિ કચરો ઠાલવવાનું જાણે અધિકૃત સ્થાન હોય એમ ચાલે છે. ત્યાં કોઈ રોકટોક કરનારું હોતું નથી. ગામનો પ્લાસ્ટિકની કોથળીઓ સહિત ચાલુ કચરો જ નહિ, મકાનોના કાટમાળ પણ ત્યાં ઠલવાય છે. તળાવ, જળાશય એટલે નધણિયાતું ક્ષેત્ર. ચારે બાજુથી દબાણ આવતાં તળાવો ક્ષીણ થાય અને એમાં નવાઈ શી? ભારતમાં અને દુનિયાના કેટલાયે દેશોમાં કારખાનાંઓનો દૂષિત, ક્યારેક ઝેરી પ્રવાહી કચરો સરોવરોમાં, નદીઓમાં કે સમુદ્રમાં ઠલવાય છે. એથી અચાનક લાખો માછલીઓ મૃત્યુ પામવાની ઘટનાઓ વારંવાર બને છે. જીવહિંસાની દષ્ટિએ, પર્યાવરણની દષ્ટિએ, નાગરિક આરોગ્યની દષ્ટિએ આવી ઘટનાઓ માત્ર માછલીઓ માટે જ નહિ, મનુષ્યો માટે પણ ખતરારૂપ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002056
Book TitleSamprat Sahchintan Part 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy