SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ જલ જીવન જગમાંહિ ૧૩૯ માણસો અને પશુઓને બચાવી લેવાનું કાર્ય ત્વરિત ગતિએ ટ્રકો, ટ્રેનો, જહાજો, વિમાનો ઇત્યાદિ દ્વારા પૂરજોશમાં થતું હોવાને લીધે દુકાળની ભયંકરતા હવે છપ્પનિયા જેટલી રહી નથી. છપ્પનિયો' આજે હોત તો તે એટલો ભયંકર ન હોત. પ્રજાનો એક વર્ગ જ્યારે આપત્તિગ્રસ્ત હોય ત્યારે બીજો વર્ગ ત્યાં જ જલસા કરતો હોય એવો વિસંવાદ લોકજીવનમાં વખતોવખત જોવા મળે છે. આવા આપત્તિના કાળમાં એ જ વિસ્તારોમાં લઞો, મેળાવડાઓ, મિજબાનીઓ, ધાર્મિક મહોત્સવો, ધાર્મિક અનુષ્ઠાનો ઇત્યાદિમાં અઢળક નાણાં ખર્ચવાં એમાં સામાજિક દ્રોહ રહેલો છે. પોતાનાં ફાળવેલાં નાણાંમાંથી યથાશક્તિ પ્રવાહ જીવદયા, અનુકંપા તરફ વાળવાથી કંઇક કર્તવ્ય કર્યાનો સંતોષ મળે છે, સામાજિક ચાહના મળે છે, લોકો વચ્ચેનો સમભાવ વધે છે ને વિસંવાદ દૂર થાય છે. આવે વખતે રાજકીય નેતાઓએ, સમાજના આગેવાનોએ, ધર્માચાર્યોએ લોકોને સાચું નેતૃત્વ અને માર્ગદર્શન પૂરું પાડવું જોઇએ અને સાચો દાખલો બેસાડવો જોઇએ. દુનિયામાં જ્યારથી પાણીની સુલભતા વધી છે ત્યારથી પાણીનો દુર્વ્યય પણ વધ્યો છે. એક અંદાજ પ્રમાણે દુનિયામાં રોજ સરેરાશ દસથી પંદર ટકા પાણી ખોટી રીતે વેડફાઇ જાય છે. હાથ ધોવા માટે કે બ્રશ કરવા માટે, મોટું ધોવા માટે જેટલું પાણી જોઇએ તેના કરતાં, નળ આવ્યા પછી પાણીનો વપરાશ વધ્યો છે. નળ ઘડીએ ઘડીએ ઉઘાડબંધ ક૨વાની તકલીફ કોણ લે ? વહીવહીને કેટલું પાણી વહી જશે ? પાણીના ક્યાં બહુ પૈસા પડે છે ? પાણી વાપરવામાં પણ કંજૂસ થવું છે ?--આવા આવા વિચારો પાણી વાપરનારના મનમાં ચાલતાં હોય છે. જ્યાં નિશ્ચિત કલાકો માટે નળમાં પાણી આવે છે ત્યાં ભૂલમાં નળ ખુલ્લો રહી જવાને લીધે કેટલું બધું પાણી વેડફાઇ જાય છે ? નળ ખુલ્લો રાખીને જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002056
Book TitleSamprat Sahchintan Part 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy