SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ જલ જીવન જગમાંહિ ૧૪૧ કેટલાક દેશો બીજા દેશોનું આંધળું અનુકરણ કરે છે. પાણીની બાબતમાં પણ એવું બને છે. કેટલાક દેશોની ભૌગોલિક રચના એવી છે અને ત્યાંની આબોહવા એવી હોય છે કે ત્યાં દુકાળ જેવી સ્થિતિ ક્યારેય ઉભવતી નથી. એથી એ દેશોને પીવા માટે, ખેતી, ઉદ્યોગ, વિદ્યુત ઇત્યાદિ માટે પૂરતા પ્રમાણમાં પાણી હંમેશાં મળી જ રહે છે. ભવિષ્ય માટે અનામત જલસંચય કરી રાખવાની આવશ્યકતા ત્યાં રહેતી નથી. જે દેશોમાં ગરમી સખત પડે, વસતી ઘણી હોય, ખેતીનું પ્રાધાન્ય હોય છે ત્યાં બીજું ચોમાસું આવે ત્યાં સુધી પાણીનો સંગ્રહ કરી રાખવાની આવશ્યકતા રહે છે. ભૂગર્ભમાં પાણીની સપાટી વધુ નીચી ચાલી ન જાય એ માટે તકેદારી રાખવી જોઈએ. આપણી જૂની જીવનશૈલી પ્રમાણે તો કૂવા અને તળાવ વગરનું કોઇ ગામ ન હોવું જોઈએ. પરંતુ વીસમી સદીના ઉત્તરાર્ધમાં કૂવાઓ કાલગ્રસ્ત બનતા ગયા ને તળાવો પૂરાવા કે સૂકાવા લાગ્યાં છે. એથી વરસાદનું પાણી જેટલું તળાવો અને સરોવરોમાં ભરી લેવું જોઇએ એટલું ભરાતું બંધ થયું. પરિણામે જમીનમાં પાણીની સપાટી નીચે ઊતરતી ગઈ છે. વસ્તુતઃ તળાવના પાણીનો કશો જ ઉપયોગ ન કરવો હોય તો પણ સુંદર વાતાવરણ માટે, મોકળાશ માટે, આબોહવા માટે, ગામની શોભા માટે, પ્રકૃતિના સૌન્દર્ય માટે પણ સ્વચ્છ તળાવો હોવાં જરૂરી છે. ગ્રામ-નગરોની વધતી જતી વસતિને લીધે જોઇતી જમીનની પ્રાપ્તિ માટે તળાવો પૂરાવા લાગ્યાં છે. ગુજરાતનાં અને અન્ય રાજ્યોનાં ગામડાંઓ પોતે પૂરી નાખેલાં, ગુમાવેલાં તળાવોને યાદ કરે તો સેંકડોની સંખ્યા થાય. (મુંબઈમાં પણ ધોબી તળાવ, ગોવાળિયા તળાવ, કાવસજી પટેલ તળાવ, ગિલ્ડર તળાવ, મુંબાદેવી તળાવ વગેરે તળાવો પૂરાઈ ગયાં અને હવે માત્ર નામમાં જ રહ્યાં છે.) વસ્તુતઃ એક તળાવ પૂરવાની આવશ્યકતા ઊભી થાય તો બીજું એક તળાવ ખોદવાની પ્રથાનું આયોજન થવું જોઇએ. વળી બેદરકારી કે ઉપેક્ષાને લીધે કેટલાંયે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002056
Book TitleSamprat Sahchintan Part 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy