SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ સાંપ્રત સહચિંતન અનુભવવા માટે યોગ્ય પાત્રતાની અપેક્ષા રહે છે. એવી પાત્રતા સામાન્ય સરેરાશ જીવોમાં હોતી નથી. પંચેન્દ્રિયના વિષયોના ભોગોપભોગમાં અપાર વૈવિધ્ય રહેલું છે. એટલે એના આનંદમાં પણ વૈવિધ્ય હોય તે સમજી શકાય એમ છે. આ આનંદ સ્થૂલ અને સપાટી ઉપરનો હોવા છતાં પણ એમાં ઉત્કટતાની ભિન્ન ભિન્ન કક્ષા હોય છે. એ આનંદની અનુભૂતિમાં પણ તરતમતા રહેલી છે. પરંતુ આ આનંદ કરતાં પણ ત્યાગનો આનંદ ચડિયાતો છે. એ આનંદ સ્થૂલ નહિ પણ સૂક્ષ્મ પ્રકારનો છે. નાનાં બાળકો રમતાં હોય છે ત્યારે કોઈક બાળકને પોતાના રમકડાં માટે લડતું, ઝઘડતું, રડતું નિહાળવા મળે છે. રમકડાં માટેનો મમત્વભાવ અને એ રમવાના આનંદનો ભાવ એને માટે અત્યંત મહત્ત્વનો છે. પરંતુ એવી રીતે લડતાં-ઝઘડતાં બાળકોમાં પણ કોઈ સમજુ બાળક પોતાનું વહાલું રમકડું પોતાના મિત્રને રમવા આપીને જે આનંદ અનુભવે છે એ સમયની એના ચહેરાની રેખાઓ નિહાળવા જેવી હોય છે. ત્યાગીને ભોગવવાનો આનંદ ત્યાં રહેલો છે. આવી રીતે પુખ્ત વયની વ્યક્તિ પણ એવો કે એથી વિશેષ આનંદ વસ્તુનો ત્યાગ કરીને અનુભવી શકે છે. સાચા દાતાઓ દાન આપીને હર્ષ-રોમાંચ અનુભવે છે. પોતાની પાસેની વધારાની વસ્તુઓ બીજાને આપ્યાનો આનંદ અવશ્ય છે, પરંતુ પોતાની કામની વસ્તુ બીજાને આપીને પોતે એનાથી પ્રેમ વંચિત રહેવાનો આનંદ વધુ સૂક્ષ્મ અને ચડિયાતો છે. અનુભવે જ એ સમજાય એવો છે. આમ વસ્તુનો ત્યાગ કરવાનું કદાચ અઘરું ન હોય, પણ વસ્તુ પ્રત્યેની આસક્તિ કે વાસના છોડવાનું ઘણું અઘરું છે. એટલે જ પરિગ્રહને મૂર્છા તરીકે ઓળખાવવામાં આવે છે. પોતાના સંપર્કમાં આવેલી કેટકેટલી વસ્તુઓ અને વ્યક્તિઓ માટે માણસના મનમાં પ્રેમ, અનુરાગ, મમત્વભાવ જન્મે છે અને પોષાય છે. એવી વસ્તુઓનો કે વ્યક્તિઓનો વિયોગ થતાં માણસ દુ:ખ અનુભવે છે. ક્યારેક તે અસહાયતા કે નિરાધારપણું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org ૧૩૪ - ભાગ ૧૨
SR No.002056
Book TitleSamprat Sahchintan Part 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy