SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ साहीणे चयई भोए से हु चाई त्ति वुच्चई । ૧૩૫ અનુભવે છે. માટે કષાયોના ત્યાગ માટેની જાગૃતિ આવશ્યક છે. સાધુસંન્યાસીઓને પણ પોતાના ઉપકારી ગુરુભગવંતનો કે વિનયી શિષ્યનો વિયોગ સાલે છે. એવે વખતે પણ કોઈ કોઈનું નથી અને જે કાળ જે બનવાનું હોય છે તે બને જ છે એવી સમત્વબુદ્ધિ અને ચિત્તની શાન્તિ કોઈક જ્ઞાની વિરલાઓ અનુભવી શકે છે. એવું જડતાને કારણે નથી બનતું, પરંતુ પૂરી જાગૃતિને કારણે અનુભવાય છે. જ્ઞાતાદ્રષ્ટાભાવ આવ્યો હોય તો જ આવી અનુભૂતિ થઈ શકે છે. આપણા શાસ્ત્રગ્રંથોમાં કહ્યું છે : જ્ઞાનસ્ય દp & fબરતિ | પાતંજલ યોગસૂત્રમાં પણ કહ્યું છે : જ્ઞાનસ્થ પ#િાષ્ઠા વૈરાગ્યમ્ ! ત્યાગના દ્રવ્ય અને ભાવની દૃષ્ટિએ, તથા દ્રવ્યની વિવિધતા અને ભાવની તરતમતા એમ ત્યાગના અનેક પ્રકારે સંભવી શકે છે. આવા બધા પ્રકારોમાં જ્ઞાનગર્ભિત વૈરાગ્યયુક્ત, સમ્યગદર્શનની પ્રાપ્તિ પછીનો ત્યાગ વધુ ચડિયાતી છે અને એવો ત્યાગ જીવને આત્મોત્થાનની ઉચ્ચતર, ઉચ્ચતમ ભૂમિકા પર લઈ જાય છે. તેનું જ મૂલ્ય અધ્યાત્મના માર્ગમાં રહેલું છે. એટલે જ કહેવાયું છે કે : त्याग एव हि सर्वेषां मोक्षसाधनमुत्तमम् । [બધાં સાધનોમાં ત્યાગ જ મોક્ષનું ઉત્તમ સાધન છે.] આમ, આત્મસાધનમાં ત્યાગનું ઘણું મહત્ત્વ હોવા છતાં જીવે ત્યાગ વૈરાગ્યમાં અટકી જવાનું નથી. આધ્યાત્મિક અનુભૂતિ માટે ત્યાંથી જ હવે શરૂ કરવાનું છે. જે મહાત્માઓ ત્યાગવૈરાગ્યની નીચેની ભૂમિકા વટાવી સાધનાના ઉચ્ચતર-ઉચ્ચતમ સ્તરે પહોંચ્યા હોય છે તેમને માટે હવે ત્યાગીને ભોગવવાની વાત પણ રહેતી નથી. ચેન ચત્તેન મુંઝથા: | એ ઉપનિષદનું ઉપદેશ વાક્ય પણ એમને માટે નિમ્પ્રયોજન બની રહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002056
Book TitleSamprat Sahchintan Part 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy