SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ साहीणे चयई भोए से हु चाई त्ति वुच्चई। ૧૩૩ જતા મહેલ માટે ચિંતા નહોતી. તેઓ દેહથી પર હતા, માટે વિદેહી કહેવાયા. એટલે જ મહાભારતકાર વ્યાસ મુનિ પોતાના પુત્ર શુકદેવને જ્ઞાનપ્રાપ્તિ માટે જનક રાજા પાસે મોકલે છે. ચીજવસ્તુઓ અને ઉપકરણો ઈત્યાદિ પ્રત્યે પોતાને જરા પણ રાગ કે મમતા ન હોય એવા કેટલાક મહાત્માઓના જીવનમાં કેટલીક વ્યક્તિઓ પ્રત્યે તીવ્ર રાગ જોવા મળે છે. પોતાના નિકટના ભક્તો, અનુયાયીઓ અન્યત્ર, અન્ય મહાત્મા પાસે કે આશ્રમમાં ચાલ્યા જાય તો તેઓ ભારે ખિન્નતા અનુભવે છે. સાધુ મહાત્માઓમાં પોતાના શિષ્યવર્ગ કે ભક્તોઅનુયાયીઓ પ્રત્યે પણ રાગ ન હોવો જોઈએ. દુનિયાની બધી વસ્તુઓનો ત્યાગ ઘણો અઘરો જ છે એમાં સંશય નથી, પરંતુ એવા ત્યાગ કરનારા કેટલાક મહાત્માઓને પોતાના દેહ માટે, પોતાનાં નામ અને રૂપ માટે ઘણો મોહ હોય છે. બધું વળગણ છૂટી જાય છે, પણ નામરૂપનું વળગણ છૂટતું નથી. એ પણ ક્ષણભંગુર છે એવું સમજાયા છતાં એના પ્રત્યેનો મોહ છૂટતો નથી. ત્યાગની ઉચ્ચત્તમ ભાવનામાં આગળ વધતાં વધતાં પોતાના દેહ માટેની મમત્વબુદ્ધિ પણ છોડવાની છે. દેહ અને આત્માની ભિન્નતાનો અંતર્મુખ બની જેઓએ અનુભવ કર્યો છે એવા મહાત્માઓ જ દેહથી પર થઈ શકે છે. તેઓ જ ઉપસર્ગ-પરીષહ વખતે અડોલ રહે છે. તેઓએ ભયનો પણ ત્યાગ કર્યો હોય છે એટલે કે અભય હોય છે. તેઓ મારણાન્તિક ઉપસર્ગ વખતે પણ જીવ બચાવવા ભાગી જતા નથી, પણ આત્મોપયોગમાં હોય છે. સામાન્ય માણસો માટે ભોગ અને ઉપભોગનો આનંદ સૌથી મહત્ત્વનો છે. ભોગોપભોગમાં સ્કૂલ આનંદ છે એનો ઈન્કાર નહિ થઈ શકે. સમસ્ત જગતનો એ વાસ્તવિક અનુભવ છે. પરંતુ ભોગપભોગના આનંદ કરતાં તેના ત્યાગનો આનંદ ચડિયાતો છે એ સમજવા માટે અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002056
Book TitleSamprat Sahchintan Part 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy