SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૨ સંજોગોમાં જો વ્યક્તિમાં પોતાનાં વસ્ત્ર, પાત્ર, ધાર્મિક ઉપકરણ ઈત્યાદિ માટે ઘેરી મમતા રહેતી હોય તો તે ઈષ્ટ નથી. માણસ દુનિયાની તમામ વસ્તુઓ છોડીને સાધુ-સંન્યાસી બની જાય, પણ પોતાની રુદ્રાક્ષની, સ્ફટિકની કે પરવાળાંની માળા માટે કે પોતાના પ્રિય ગ્રંથ ઈત્યાદિ માટે એટલી બધી આસક્તિ હોય કે કોઈનાથી જો તે વસ્તુ જરા પણ આવી પાછી થાય તો જ તે ચિડાઈ જાય, અસ્વસ્થ થઈ જાય તો એનો બાહ્ય વસ્તુઓનો મોટો ત્યાગ હોવા છતાં મમતા અને રાગ ઉપર હજુ જોઈએ તેટલો વિજય મેળવાયો નથી એવો અર્થ થાય. કેટલાયે ત્યાગી સંત મહાત્માઓમાં પણ આવી સૂક્ષ્મ આસક્તિ રહેલી જોવા મળે છે. સૂક્ષ્મ આસક્તિમાંથી મુક્ત થવું એ ઘણી કઠિન વાત છે. દંતકથા પ્રમાણે એક વખત જનક રાજા સાથે જ્ઞાનગોષ્ઠી કરવા માત્ર લંગોટીધારી એવા કેટલાક સંન્યાસીઓ અતિથિ તરીકે આવ્યા. જ્ઞાનગોષ્ઠી કરતાં કરતાં તેઓ નદીમાં સ્નાન કરવા ગયા. તે વખતે જનક રાજાના મહેલમાં અચાનક આગ લાગી અને ધૂમાડાના ગોટેગોટા દેખાયા. એ જોઈને સંન્યાસીઓએ કહ્યું, “મહારાજ, દોડો, દોડો, આપના મહેલમાં આગ લાગી છે.' જનક મહારાજાએ અસ્વસ્થ થયા વિના શાંતિથી કહ્યું, “ભલે આગ લાગી. મારે ને મહેલને શું ? ભલે ને બળીને ખાખ થઈ જાય. જે થવાનું હશે તે થશે. આપણે આપણી જ્ઞાનવાર્તા ચાલુ રાખીએ.” સંન્યાસીઓએ કહ્યું, ‘નહિ, મહારાજ ! આપ ભલે ન આવો. અમારે તો દોડવું પડશે. અમારી બીજી લંગોટી મહેલમાં છે. એ બળી જશે તો અમે કરશું શું ?” એમ કહી સંન્યાસીઓ પોતાની લંગોટી બચાવવા મહેલ તરફ દોડ્યા. આ તો માત્ર દંતકથા છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પરિગ્રહમાં માત્ર લંગોટી હોવા છતાં એટલી નાની સરખી વસ્તુ માટે પણ કેટલી બધી મમતા ! જનક રાજાને “વિદેહી' તરીકે ઓળખાવવામાં આવે છે. તેમને પોતાના બળી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002056
Book TitleSamprat Sahchintan Part 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy