SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ साहीणे चयई भोए से हु चाई त्ति वुच्चई । ૧૩૧ સંસ્થાઓ, આશ્રમો, મકાનો, ઉદ્યાનો, શિક્ષણ સંસ્થાઓ, ગ્રંથાલય, સંગ્રહસ્થાનો ઈત્યાદિ પરના પોતાના માલિકીપણાનો માનસિક આનંદ જતો કરી શકતા નથી. ક્યારેક તે માટે સંઘર્ષ કરવા તેઓ તેયાર થઈ જાય છે. આવી બધી સંસ્થાઓ તે પોતાનાં માનસિક સંતાનો છે એમ તેઓ અનુભવે છે. કેટલાક તો એનાં બંધારણમાં પોતાના સર્વોપરિપણાનો અબાધિત હક દાખલ કરાવતા હોય છે. આવા કહેવાતા મહાત્માઓ ત્યાગી હોવા છતાં સાચા અર્થમાં ત્યાગી નથી હોતા. જેઓ પોતાને અત્યંત પ્રિય હોય એવા ભોગપભોગો સ્વાધીનપણ અનાયાસ હક્કપૂર્વક પ્રાપ્ત થતા હોય અને છતાં તેના તરફ પોતાની પીઠ ફેરવે છે, સ્વેચ્છાપૂર્વક સમજણ સાથે તેનો ત્યાગ કરે છે તેઓ સાચા ત્યાગી છે. ત્યાગની સાથે વૈરાગ્યની ભાવના હોય તો જ ત્યાગ ટકે છે. એટલે જ ભક્ત કવિ નિષ્કુલાનંદે ગાયું છે કે “ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના.” વૈરાગ્યની ભાવના પણ દુ:ખગર્ભિત કે મોહગર્ભિત હોય તો તે ઝાઝી વખત ટકતી નથી. વૈરાગ્યની ભાવના જ્ઞાનગર્ભિત હોય તો જ વધુ ટકે છે. જ્ઞાન પણ જો સમ્યક્ હોય તો ત્યાગવૈરાગ્યનાં મૂળ ઊંડા જાય છે. વિપરીત સંજોગોમાં પણ એ મૂળને આંચ આવતી નથી. સંસારના પદાર્થોની ક્ષણભંગુરતાના સતત ચિંતનથી ત્યાગવૈરાગ્યની ભાવના દૃઢમૂલ થતી જાય છે. કેટલાક સંસારી માણસો પોતાની નિરર્થક વસ્તુઓનો ત્યાગ કરે છે, પરંતુ વર્તમાનમાં અને ભવિષ્યમાં ખપ લાગે એવી વસ્તુનો ત્યાગ કરતા નથી. ત્યાગની સાચી વૃત્તિથી પ્રેરાયેલા માણસો પોતાની જરૂરિયાત ઓછામાં ઓછી કરીને બાકીની વસ્તુઓનો ત્યાગ કરે છે. એક અપેક્ષાએ આવો ત્યાગ પ્રશસ્ય છે, પણ તે ઉત્તમ પ્રકારનો નથી. માણસ આહાર, વસ્ત્ર અને રહેઠાણની અલ્પતમ આવશ્યકતા સ્વીકારી બાકીનું બધું છોડી દે છે ત્યાં ત્યાગની ભાવના સવિશેષ પ્રગટ થાય છે. પરંતુ આવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002056
Book TitleSamprat Sahchintan Part 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy